મોદી સરકારને 9 વર્ષ પૂર્ણ થઈ રહયા છે ત્યારે ભાજપ દ્વારા 30મી મેથી 30 જૂન દરમિયાન લોકસભા વિસ્તારોમાં યોજાનાર જાહેર સભાઓ સહિત લોક સંપર્કના કાર્યક્રમો માટે પૂર્વ તૈયારીઓના ભાગરૂપે સુરતમાં ઉધના કાર્યાલય ખાતે બેઠક મળી હતી. જેમાં આગામી કાર્યક્રમો અંગે ચર્ચા વિચારણા થઈ હતી.
આ બેઠકમાં પ્રદેશ ઉપાધ્યક્ષ ગોરધનભાઇ ઝડફિયા તેમજ પૂર્વ કેબિનેટ મંત્રી પૂર્ણેશ મોદી, મંત્રી પ્રફૂલ પાનસેરિયા, મંત્રી મુકેશ પટેલ, પ્રમુખ નિરંજન ઝાંઝમેરા, મેયર હેમાલી બોઘાવાલા, પ્રદેશ પદાધિકારીઓ, જિલ્લાના પ્રમુખ, મહામંત્રીઓ હાજર રહ્યાં હતા અને ચર્ચા કરી હતી.
આગામી તા.30મેથી 30 જૂન સુધી એક મહિના સુધી ઘર-ઘર જઇ લોકસંપર્ક કરવા સહિત 21 જૂન યોગ દિવસ, દરેક લોકસભા વિસ્તારોમાં જાહેર સભાઓ કરવા અંગે ચર્ચા થઈ હતી.