સુરત ના ભાટે વિસ્તાર માં ની નિવાસી એક વિદ્યાર્થિનીએ પોતાની ઓડની વડે ગળે ફાંસો ખાઈ લેતા સમગ્ર વિસ્તાર માં ગમગીની છવાઈ ગઈ છે. અહીં પૂજા નામની વિદ્યાર્થિની છત્રપતિ શિવાજી સ્કૂલના નવમાં ધોરણ માં અભ્યાસ કરતી હતી. પૂજા એ પોતાના ઘરના બાથરૂમમાં ઓડની વડે ગળે ફાંસો ખાઈ લીધો છે. પોતાની દીકરીને આ હાલત માં જોતા એની માતા બેભાન થઈને પડી ગયા હતા.
સ્કૂલ માંથી પછી ફરેલી પૂજા જમવા માટે હાથ ધોવા અને ફ્રેશ થવા માટે બાથરૂમ માં ગઈ હતી. પૂજા લગભગ 12:30 વજ્ઞાની આસપાસ ઘરે પહોંચી હતી. આ દરમ્યાન એની બહેન અને માતા બને જમવાનું બનાવી રહ્યા હતા. પૂજા ને બાથરૂમ માં ઘણી વાર લાગવાથી એની માતા અને બહેન બને બાથરૂમ તરફ ગયા હતા. અને પૂજા ન દેખાતા તેમને બાથરૂમ બો ધરવાજો ખોલ્યો હતો. બાથરૂમ નો દરવાજો ખોલતા જ એની માતા ના હોશ ઉડી ગયા હતા. દીકરીને આ હાલતમાં જોઈને માતા એ બૂમાબૂમ કરી હતી આ સાંભળીને એમના આસપાસના લોકો પણ સ્થળે દોઢી આવ્યા હતા. પોતાની દીકરીને સ્કૂલના ડ્રેસ ના દુપતા વડે પંખાની સાથે લટકતા જોઈને માતાના હોશ ઉડી જતા એ જમીન પર પડી ગયા હતા. આ જોઈને પૂજાનો આખો પરિવાર શોક માં ડૂબી ગયો હતો.
પૂજા ના ભાઈ સુનીલના જણાવ્યા અનુસાર પૂજા છેલ્લા કેટલાક સમય થી માનસિક બીમારીનો ભોગ બની રહી હતી. પૂજા ઘણી વાર અજીબો ગરીબ હરકતો પણ કરતી હતી. જેની તેના ઘરવાળાઓ એ દવા પણ કરાવી હતી.
પરંતુ પૂજાના મોતનું અસલી કારણ હજુ આવ્યું. પોસમોટમ થસે ત્યારે એનો ભેદ ખુલી શકે છે.
પૂજાનો પરિવાર મૂળ મહારાષ્ટ્રના નંદુરબારના શાહદાના વતની છે. આ પરિવારમાં માતા-પિતા બે દીકરા અને ત્રણ દીકરીઓ હતી. જેમાં પૂજા ચોથા નંબરની હતી.