દેશ અને દુનિયા માં કોરોનાના રોગચાળા એ બરાબર નો અજગર ભરડો લીધો છે અને સતત મૃત્યુઆંક માં વધારો થઈ રહ્યો છે ત્યારે આપણી દેશી સિવિલ હોસ્પિટલો ની જે લાલીયાવાડી છે તેનો મોટાભાગ ના લોકો એ ખુબજ નજીક થી અનુભવ કર્યો છે સુરત સિવિલ માં આવાજ એક વધુ ચોંકાવનારા બનાવે ભારે હોબાળો મચાવ્યો છે જેમાં કોરોનાગ્રસ્ત વૃદ્ધ માતા ના મૃત્યુના 11મા દિવસે તેના પુત્રને સિવિલ કંટ્રોલ માંથી ફોન કરી જણાવવામાં આવ્યું કે તમારીમાતાની તબિયત સારી છે અને નિયમિત રીતે દવા પણ લઈ રહ્યા છે આ સાંભળી ને પુત્ર ખુબજ દુઃખી થયો હતો અને સિવીલ માં ચાલી રહેલી લાલીયાવાડી નો પ્રત્યક્ષ અનુભવ કર્યો હતો.
સુરત માં હાલ કોરોના બૉમ્બ ફાટ્યો છે ત્યારે બમરોલી સ્થિત ગીતાનગરમાં પોતાના પરિવાર સાથે રહેતા 65 વર્ષીય રૂકમાબેન સુર્યવંશી ને ગત 18 જુલાઈના રોજ કોરોનાના શંકાસ્પદ લક્ષણો સાથે 108 મારફતે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જ્યાં બીજા દિવસે તેમનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. જેથી તેમને સિવિલ ના વોર્ડ G-19 માં એડમિટ કરવામાં આવ્યા હતા. દરમિયાન ગત 20 જુલાઈના રોજ રૂકમાબેનની તબિયત સારી હોવાનું પરિવારને જણાવાયુ હતુ અને સાંજે 4 વાગ્યે અચાનક હાલત ગંભીર હોવાનું પરીવાર ને ઈંફોર્મ કરી તેમના પુત્ર પવનને જૂની બિલ્ડીંગમાં G-4 વોર્ડમાં બોલાવ્યો હતો અને કાગળ પર વૃદ્ધાના પુત્રની સહી લીધાના કેટલાક કલાકો માં જ રૂકમાબેનના મૃત્યુ થયુ હોવાનું જણાવતા પરિવાર પણ વિચાર માં પડી ગયો હતો કારણ કે સવારે તબિયત સારી હતી અને અચાનક જ બોલાવી સહી કરાવ્યા બાદ કેવી રીતે મોત થયું વગરે ઘણા પ્રશ્નો ઉભા થયા પણ માતા રુકમાબેનનું મોત થતા પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયું હતું.જેથી કઈ બોલ્યા વગર નીકળી ગયા હતા.
માતા ના નિધન બાદ પુત્ર અને પરિવાર શોક માં ગરકાવ હતો અને માતા ના મૃત્યુ થયા ને 11 દિવસ વીતી પણ ગયા ત્યાંજ ગત રોજ 30 જુલાઈએ સિવિલ હોસ્પિટલના કંટ્રોલ રૂમમાંથી રુકમાબેનના પુત્ર પવન પર ફોન આવ્યો હતો કે, તમારા માતાની તબિયત સારી છે, રેગ્યુલર દવા લે છે, તેમને જલ્દી સારા કરવાના પ્રયાસ ચાલી રહ્યા છે, તેઓ તમને ફોન કરે છે કે નહીં? આ વાત થી પત્ર ચોંકી ગયો હતો અને ફોન કરનાર ને જણાવ્યું કે ભાઈ મારી માતાના મૃત્યુને 11 દિવસ થઈ ગયા છે અને સિવિલ માંથી મૃત્યુનું પ્રમાણપત્ર પણ આપી દીધું છે. જેથી ફોન કરનાર વ્યક્તિએ કહ્યું કે, હું તપાસ કરીને ફરી ફોન કરું છું તેમ કહી છટકી ગયા બાદ ફોન આવ્યો ન હતો.
સુરત સિવિલ માંથી જે ફોન હતો જેમાં આ મુજબ વાત થઈ હતી.
સિવિલ કંટ્રોલ રૂમઃ નમસ્કાર સર, હું સિવિલ હોસ્પિટલના કંટ્રોલ રૂમમાંથી બોલું છું.
મૃતક વૃદ્ધાનો પુત્રઃ હા, બોલો.
સિવિલ કંટ્રોલ રૂમઃ રુકમા સુર્યવંશીના સંબંધી વાત કરી રહ્યા છો સાહેબ.
મૃતક વૃદ્ધાનો પુત્રઃ હા, તેમનો પુત્ર બોલું છું.
સિવિલ કંટ્રોલ રૂમઃ જી નામ જાણી શકું સાહેબ.
મૃતક વૃદ્ધાનો પુત્રઃ પવન સુર્યવંશી.
સિવિલ કંટ્રોલ રૂમઃ જી પવનભાઈ, ધન્યવાદ.
મૃતક વૃદ્ધાનો પુત્રઃ હા, હા.
સિવિલ કંટ્રોલ રૂમઃ પવનભાઈ તબિયત જણાવવા માટે ફોન કર્યો છે, એમને હાલ કોરોનાને કારણે સિવિલ હોસ્પિટલ દાખલ કર્યા છે ને.
મૃતક વૃદ્ધાનો પુત્રઃ હા, હા.
સિવિલ કંટ્રોલ રૂમઃ જી હા તો તેમની તબિયત એમની સારી છે અને સ્ટેબલ બતાવે છે, બરોબર છે. ડોક્ટરની જે દવા છે તે રેગ્યુલર ચાલે છે અને તેના સારા થવા માટેના પ્રયત્નો ડોક્ટર અને નર્સ કરી રહ્યા છે. તમારી વાતચિત થાય છે તેમની સાથે?
મૃતક વૃદ્ધાનો પુત્રઃ પણ સાહેબ આ મેસેજ કોણે આપ્યો તમને
સિવિલ કંટ્રોલ રૂમઃ શેનો?
મૃતક વૃદ્ધાનો પુત્રઃ આ જે તમને કહીં રાખેલું રૂકમાબેનનું, આની જાણ કારી તમને ક્યાંથી મળી?
સિવિલ કંટ્રોલ રૂમઃ સિવિલ હોસ્પિટલમાંથી
મૃતક વૃદ્ધાનો પુત્રઃ એક વખત બરાબર ચેક કરી લો ને સાહેબ, કારણ કે મમ્મીને મોત થયાને આજે 11 દિવસ થઈ ગયા છે.
સિવિલ કંટ્રોલ રૂમઃ શું વાત કરો છો?
મૃતક વૃદ્ધાનો પુત્રઃ હા
સિવિલ કંટ્રોલ રૂમઃ રિયલી વેરી સોરી
મૃતક વૃદ્ધાનો પુત્રઃ પેલા એક વખત ઈન્કવાયરી કરો બરાબર પછી મને ફોન કરજો
સિવિલ કંટ્રોલ રૂમઃ નહીં નહીં..100 ટકા, 100 ટકા, રિયલી સોરી
મૃતક વૃદ્ધાનો પુત્રઃ ઓકે ઓકે
આમ સરકારી સિવિલ હોસ્પિટલમાં દર્દીઓને અપાતી સારવાર અને રેઢિયાળ વહીવટ ની ઉઠેલી ફરિયાદો વચ્ચે સુરત સિવિલ ની આ મેટરે ભારે વિવાદ ઉભો કરી દીધો છે.
