સુરત ના છેવાડે આવેલી ઝૂંપડપટ્ટીમાં રહેતા શ્રમજીવી પરિવાર ની સાડા ચાર વર્ષ ની બાળા કુદરતી હાજતે જવા નીકળે છે અને તે સમય ની રાહ જોઇને બેઠેલા એક 27 વર્ષ ના ઇસમે બાળા ને પકડી બળાત્કાર કરી ગુપ્ત ભાગ માં મોટી ઇજા કર્યા બાદ પણ વાસના પુરી નહિ થતા ફરી સૃષ્ટિ વિરુદ્ધ નું કૃત્ય કરી બાળકી ને પથ્થર મારી મારી નાખતા ભારે ચકચાર મચી ગઇ છે. સુરત ના હજીરા ગામના સીંગોતર માતાના મંદિર નજીક આવેલા માતા ફળિયામાં બે દિવસ પહેલાં એક સાડા ચાર વર્ષની બાળકી શંકાસ્પદ રીતે મોતને ભેટેલી હાલતમાં મળી આવી હતી આ માસૂમ બાળકી સાથે દુષ્કર્મ બાદ હત્યા કરાઈ હોવાનું બહાર આવતા લોકો માં રોષ ફેલાતા હજીરા પોલીસે તાત્કાલિક બંદોબસ્ત મૂકી દીધો હતો. પોસ્ટમોર્ટમમાં બાળકી સાથે દુષ્કર્મ અને સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્યુ કરાયું હોવાનું સામે આવ્યું છે અને પથ્થર મારી ગળું અને મોઢું દબાવી હત્યા કરાઈ હોવાનું ખુલતા પોલીસે કરેલી તપાસ દરમિયાન આ
ઘટનામાં પોલીસે 27 વર્ષના સુજીત કુમાર નામના આરોપીની ધરપકડ કરી હતી. આરોપી સુજીત મધ્યપ્રદેશના રિવાનો રહેવાસી છે. મૃતક બાળકીના ઘર નજીક જ રહેતો હતો. પોલીસે અન્ય શંકાસ્પદો સાથે સુજીતને પણ લઇ જઇ પૂછપરછ કરતા તેણે ગુનો કબૂલી લીધો હતો. કોવિડ ટેસ્ટ નેગેટિવ આવતા સુજીતની ધરપકડ કરાઇ હતી.સુજીત હજીરાની ખાનગી કંપનીમાં મજૂરી કામ કરતો હતો.
બાળકી નો પરિવાર એમપી નો રહેવાસી છે અને ઘણા સમયથી હજીરામાં મજૂરી કામ કરી પેટિયું ભરતા આવ્યા છે. આ મોટી દીકરી હતી. ત્યારબાદ એક દીકરી અને એક દીકરો છે. આજે આ દીકરી કુદરતી હાજતે જવાનું કહીને નીકળી હતી. માતા રસોઈ બનાવતી હતી. ત્યારબાદ અચાનક ગૂમ થઈ ગયા બાદ બપોરે મૃત હાલતમાં મળી આવી હતી. આ ઘટના એ ભારે ચકચાર જગાવી છે.