સુરત:
સુરત રેલવે સ્ટેશન પર આવી પોહચેલી ટ્રેનના ટોઇલેટ કોચમાં એક પ્રસુતાએ બાળકને જન્મ આપ્યો હતો ….ઘટના બાદ રેલવે તંત્ર દ્વારા તાત્કાલિક મહીલા અને બાળકને સારવાર અર્થે સુરતની સ્મીમેર હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા…જ્યા બંનેની હાલત હાલ સુધારા પર હોવાનું તબીબો દ્વારા જાણવા મળી રહ્યું છે…..મહિલાને આઠ માસનો ગર્ભ હતો અને સાથે કમળાની બીમારી પણ હતી… પતિ-પત્ની મુંબઈથી રાજસ્થાન જવા માટે નીકળ્યા હતા….જે દરમ્યાન સુરત સ્ટેશન આવી પોહચેલી ટ્રેનના ટોઇલેટ કોચમાં જ પ્રસુતાને પીડા ઉપડતા ડિલિવરી થઈ ગઈ હતી….
મૂળ મુંબઈના રહેવાસી અને રાજસ્થાનના વતની રાજુભાઇ નામના વ્યકતી આજ રોજ સવારના સમયે મુંબઇ થી રાજસ્થાન જવા સુર્યનગરી ટ્રેનમાં પોતાની ગર્ભવતી પત્ની સાથે બેઠા હતા…રાજુભાઈ નામના વ્યક્તિની પત્નીને આઠ માસ ના ગર્ભ હોવાની સાથે કમળાની બીમારી પણ હતી…સાંજના સમય દરમ્યાન ટ્રેન સુરત રેલવે સ્ટેશન મુકામે આવી પોહચી હતી….આ સમયે ટ્રેનના ટોઈલેટ કોચમાં ગયેલી સગર્ભાને પ્રસુતાની પીડા ઉપડતા તેણીએ બાળકને જન્મ આપ્યો હતો…ઘટના બનતાની સાથે ટ્રેનમાં મુસાફરી કરતા લોકો મદદે દોડી આવ્યા હતા અને બનાવની જાણ રેલવે તંત્રને કરી હતી….રેલવે તંત્ર દ્વારા તાત્કાલિક એમબ્લ્યુન્સ ની સેવા બોલાવી બાળક અને માતાને સારવાર અર્થે સુરતની સ્મીમેર હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા….જ્યા બંનેની હાલત હાલ સુધારા પર હોવાનું સ્મિમેરના તબીબો પાસેથી જાણવા મળ્યું છે…..