વીઓ : સુરતના પુનાગામ સ્થિત યોગીચોક નજીકથી નીકળેલી પાટીદારોની વિશાળ શોભાયાત્રા રેલી વરાછા ના માનગઢ ચોક ખાતે જવા રવાના થઈ હતી.પાટીદારો વિઘ્નહર્તા ની શોભાયાત્રા કાઢવામાં આવી હતી,જેમાં શોભાયાત્રા ની સાથે સાથે હાર્દિકની ધરપકડ અંગે પણ વિરોધ નોંધાવવામાં આવ્યો હતો….વિઘ્નહર્તા સરકારને સદ્દભૂદ્ધિ આપે અને નિર્દોષ પાટીદારોનો છુટકારો થાય તેવી પ્રાર્થના પાટીદારોએ શોભાયાત્રા સ્વરૂપે કાઢેલી રેલીમાં કરી હતી. રેલી દરમ્યાન કોઈ કાંકરીચાળો ન થાય તેને લઈ લોખંડી પોકિસ બંદોબત પણ ગોઠવવામાં આવ્યો હતો.રેલી વરાછાના માનગઢ ચોક ખાતે પોહચી હતી અને ત્યાં સરદારની પ્રતિમાને હારતોળા કરી રેલીનું સમાપન કરાયું હતું.
એન્કર :પાસ નેતા હાર્દિક પટેલ અને દિનેશ બાભણીયા ની લૂંટ સહિતના ગુનામાં ખોટી રીતે ધરપકડ કરવામાં આવી હોવાના આક્ષેપ સાથે સુરતમાં પાટીદારોની મહા શોભાયાત્રા જોવા મળી હતી.જેમાં પાંચસોથી પણ વધુ પાટીદારો જોડાયા હતા અને ભાજપ સામે સુત્રોચાર કર્યા હતા.