“પૂર્વ પ્રાથમિક શિક્ષણની યોજના થકી મારા બાળકોને મળતી શિક્ષા અને શિસ્તબન્ને ઉત્તમ કક્ષાનાં છે:” બાળકોની માતા જ્યોતિ ઝા
“શિક્ષણની સાથે જ બાળકોને આંગણવાડીમાં સવારે નાસ્તો, બપોરનું ભોજન તેમજ અઠવાડિયામાં બે વાર મળતા ફળને કારણેબાળકોની નિયમિતતા અને ઉત્સાહ જળવાઈ રહે છે”: તાલુકા P.S.E ઇન્સ્ટ્રક્ટર કૌશિકા બેન
સુરત:ગુરુવાર: સમાજ, રાજ્ય કે રાષ્ટ્રનાંઉજ્જવળ ભાવિ માટે શિક્ષણનો મજબૂત પાયો એ સૌથી અગત્યનું સોપાન છે. અને એ જ દિશામાંઆગળ વધતાં રાજ્ય સરકાર દ્વારા ૩ થી ૬ વર્ષના ભૂલકાઓ માટે ‘પા પા પગલી યોજના’ અમલમાં મૂકવામાં આવી છે. નવી શિક્ષણનીતિ અંતર્ગત ૩ થી ૬ વર્ષના બાળકોનાં શિક્ષણનોપાયો મજબૂત કરવા માટે આંગણવાડીમાં જ પૂર્વ પ્રાથમિક શિક્ષણ આપવામાં આવે છે.
આ યોજના હેઠળ આંગણવાડીનાં કાર્યકરોને ખાસ તાલીમબદ્ધ કરવામાં આવ્યા છે. જે માટે મહિલા અને બાળવિકાસ મંત્રાલય,ગાંધીનગર દ્વારા આંગણવાડીનાં કાર્યકરો માટે તેઓની શૈક્ષણિક લાયકાતને અનુરૂપ ઓનલાઈન તાલીમ અને જોબ તાલીમનું આયોજન કરવામાં આવે છે.તાલીમ બાદ પણ તેઓને સતત માર્ગદર્શનઆપવામાં આવે છે. જેથી બાળકોને પ્રાથમિક તબક્કામાં મજબૂત શૈક્ષણિક બંધારણ મળી શકે.
સુરત જિલ્લાનાં ચોર્યાસી તાલુકાનાં કવાસ ગામે રહેતા ૨૭ વર્ષીય જયોતિસાહસ ઝાનાં ત્રણ વર્ષીય શ્રેયા અને પાંચ વર્ષીય હર્ષ પા પા પગલી યોજના અંતર્ગત હાલકવાસ-૧ ની આંગણવાડીમાં અભ્યાસ કરી રહ્યા છે.
તેમનાં પિતા સાહસ ઝા ગામની નજીક આવેલી કંપનીમાં કામચલાઉ ધોરણે નોકરી કરતાં હોવાથીબાળકોનો પૂર્વ પ્રાથમિક અભ્યાસ વિનામૂલ્યે સારી સુવિધા સાથે થઈ રહ્યો હોવાથી તેમનોપરિવાર ખુશ છે. સાથે જ યોગ્ય સમયે શિક્ષણની તક મળવાથીઆનંદિત તેમની માતા જ્યોતિ ઝા સરકારનો આભાર માનતા જણાવે છે કે, પૂર્વ પ્રાથમિક શિક્ષણની યોજના હેઠળ આંગણવાડીમાં મારા બાળકોને મળતી શિક્ષાઅને શિસ્ત ઉત્તમ કક્ષાનાં છે. ભણતરની સાથે આત્મવિશ્વાસ, સહકારઅને ધીરજ જેવા જીવનનાં મહામૂલ્ય પાઠનું સિંચન પણ બાળકોમાં થઈ રહ્યું હોવાનું તેઓજણાવે છે.
ચોર્યાસી તાલુકાનાં P.S.E ઇન્સ્ટ્રક્ટર કૌશિકા બેને જણાવ્યું હતું કે, શિક્ષણની સાથે જ બાળકોને આંગણવાડીમાં સવારે નાસ્તો, બપોરનુંભોજન તેમજ અઠવાડિયામાં બે વાર ફળ મળતા હોવાથી બાળકોની નિયમિત આંગણવાડીમાં આવે છે.
સાથેતેઓનું સ્વાસ્થ્ય પણ જળવાય રહે છે હાલ અમારી આંગણવાડીમાં ૩૩ જેટલા બાળકો નિયમિતઆવી રહ્યા છે. તેઓને ગમ્મત સાથે જ્ઞાન તથા અન્ય રમતગમતની પ્રવૃત્તિઓ પણ કરાવવામાંઆવે છે. આંગણવાડીના શિક્ષિકા ગીતાબેન જણાવતા કહે છે કે, આયોજના અંતર્ગત બાળકોને પ્રવેશ સમયે શૈક્ષણિક કીટ પણ આપવામાં આવે છે. જેમાંચિત્રપોથી, કલર અને કક્કાવારી પઝલ બ્લોક્સનો સમાવેશ થાય છે.બાળકો રોજ ૧૦.૦૦ વાગ્યાથી ૨.૦૦ વાગ્યા સુધી આંગણવાડીમાં આવે છે.
તેમનો શારીરિક અને બૌધ્ધિક વિકાસ થાય તે માટે અનેકવિધ પ્રવૃત્તિઓ કરાવવામાં આવેછે. આમ રાજય સરકારની પા પા પગલી યોજનાના કારણે આંગણવાડીના બાળવયે જ ઉત્તમ પ્રકારનું શિક્ષણ મળી રહે છે.