મંગળવારની સવારે સુરત સિવિલ હોસ્પિટલના રેડીયોલોજી વિભાગમાં ડોક્ટરોની બહાર આવેલી ગંભીર બેદરકારી બુધવારે બહાર આવી હતી. આ અંગે દર્દીના પુત્ર સમાધાનના જણાવ્યા મુજબ તેની માતાને લીવરની બિમારીને કારણે અમદાવાદથી સુરત રીફર કરાઈ હતી. તેમાં તેણીને સીટીસ્કેન કરવાનું જણાવાયં હતું.
મંગળવારે સવારે મળેલી સિટી સ્કેનની તારીખ મુજબ તેઓ માતાને લઈ સવારે સાત વાગે સિવિલ હોસ્પિટલના રેડીયોલોજી વિભાગમાં ગયા હતા. જ્યાંથી તેમને ટ્રોમાં સેન્ટરમાં હાથમાં સોઈ નખાવીને આવવા જણાવવામાં આવ્યું હતું. ટ્રોમાં સેન્ટરમાં હાથમાં સોઈ નખાવી રેડિયોલિજી વિભાગમાં સિટી સ્કેન વિભાગમાં એક ડોક્ટરે સોઈમાં ઈન્જેકશન વડે પ્રવાહી શરીરમાં નાખ્યું. ત્યારે અચાનક પ્રવાહી માતાના હાથ પર પડતાની ગણતરીની મિનિટોમાં માતાના હાથ પર ફુલ્લા ફુટી નીકળ્યા હતા. ટ્રોમાં સેન્ટરમાં લઈ જઈ પ્રાથમિક સારવાર આપી દાખલ કરી દીધા હતા.