સુરત : દસમી સપ્ટેમ્બરના રોજ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ ગાંધીનગર ખાતે એક વિશાળ યુવા સંવાદ કાર્યક્રમને સંબોધવા જઇ રહ્યા છે….સમગ્ર ગુજરાતના દરેક શહેરોમાં આ કાર્યક્રમનું આયોજન કરાયું છે. સુરત ખાતે ભાજપ યુવા મોરચાની યોજાયેલ પત્રકાર પરિષદ માં આ જાહેરાત કરવામાં આવી છે. પત્રકાર પરિષદમાં ભાજપ યુવા મોરચાના પ્રમુખ સહિતના આગેવાનો હાજર રહ્યા હતા.
પત્રકાર પરિષદને સંબોધતા ભાજપના યુવા મોરચાના નેતા અને ધારાસભ્ય હર્ષ સંઘવીએ જણાવ્યું કે વીડિયો કોન્ફ્રરન્સ દ્વારા અમિત શાહ યુવાઓના પ્રશ્નોના વાંચા આપશે. સમગ્ર ગુજરાતમાં કુલ 100 જેટલા સ્થળોએ આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં એક લાખથી પણ વધુ યુવાઓએ હાલ રજિસ્ટ્રેશન કરાવ્યું છે.સુરતમાં કુલ સાત સ્થળોએ આ કાર્યક્રમ યોજાવાના છે.જેમાં આજના યુવાઓ જેવા કે ,વકીલ ,ડોકટર ,સી.એ.જેવા વ્યવસાય સાથે જોડાયેલ લોકો હાજર રહેવાના છે. વીડિયો કોન્ફ્રરનન્સ દ્વારા આ યુવાઓ સીધો અમિત શાહને પોતાના પ્રશ્નો પૂછશે. જેનો જવાબ રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ વિડ્યો કોન્ફ્રરન્સ ના માધ્યમથી આપવાના છે.સૂરતથી હમણાં સુધી કુલ પાંચ હજાર જેટલા યુવાઓએ ‘ યુવા ટાઉન હોલ “ના આ કાર્યક્રમમાં રજિસ્ટ્રેશન કરાવી ચુક્યા છે.સાથે જ આયોજિત આ કાર્યક્રમને લગતા તમામ પ્રશ્નો પણ યુવાઓ તરફથી આવી ચૂક્યા છે.
અત્રે ઉલ્લેખનીય છે કે ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓ નજીક આવી રહી છે.ત્યારે આજની યુવાપેઢીને આકર્ષવા ભાજપ દ્વારા આ કાર્યક્રમ ઠકી વોટબેંક ખેંચવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો હોવાનો ગણગણાટ થઈ રહ્યો છે.