[slideshow_deploy id=’26749′]
સુરત ઉધના ઝોનમાં અાવેલ શાલીમાર સોસાયટી પાછળ અાવેલ ખાડીને પુરાણ કરી બાંધકામ કરી દેનારાઓ સામે ફરિયાદો કરાઈ છે.જાણવા મળતી માહિતી મુજબ ખાડી પુરાણ કરી બાંધકામ કરી બિલ્ડરો દ્વારા મનપાના કાયદા વિરૂદ્ધ અા બાંધકામો બનાવી રહેલ હોવાનું જાણવા મળ્યું છે.ખાડી પુરાણ કરી મસમોટા ગાલાઓ અને કારખાનાઓ બનાવી ઉધના ઝોનના અધિકારીઓની કામગીરી સામે પણ સવાલો ઉભા થયા છે.અનેક વિવાદીત કિસ્સાઓમાં ઉધના ઝોનના અધિકારીઓ હંમેશા શંકાના દાયરામાં રહ્યા છે. પણ અા ખાડીપુરાણ વાળો કિસ્સો જોતા લાગે છે કે અા બાંધકામ કરનારાઓના હાથ મનપા કમિશનર સુધી છે કે પછી શાલીમાર સોસાયટી પાછળ અાવેલ ખાડીપુરાણ કરી બાંધકામ કરી પરવાનો ગાંધીનગરના કોઈ મોટા નેતાની ભલામણથી ચાલી રહ્યો છે. ઉપરોક્ત તસ્વીરમાં જોતા સ્પષ્ટ પણે લાગે છે કે સુરતના મનપા કમિશનરનો કોઈ ડર કે કોઈ કાયદો અા બિલ્ડરોને લાગતો જ નથી. પોતાની મનમરજી મુજબ ખુલ્લે અામ પણે અા ગેરકાયદે બાંધકામ અને ખાડીપુરાણ કરી કાયદાની ધજ્જીયા ઉડાવી રહ્યા છે.જ્યારે અાજરોજ સત્ય ડેની ટીમ દ્વારા મનપા કમિશનરને ફોન પર સંપર્ક કરતા તેઓ મીટિંગમાં હોવાનું કહી પીએ પાસેથી સમય લઈ રૂબરૂ મુલાકાત લેવાનું જણાવેલ હતુ.
અાવો જ એક કિસ્સો ઉધના ઝોનના નવા રોડ પર બનેલા વિસ્તારનો છે. ત્યાંતો બિલ્ડરે ગણતરીના કલાકોમાં જ ગ્રાઉન્ડ પ્લસ બે માળનું બાંધકામ બનાવી દીધેલ છે અને માર્જીન એલાઈનેમેન્ટ કવર કરી અા બાંધકામ બનાવનાર અા બિલ્ડરે બાંધકામ કરવાની પરવાનગી લીધી કે નથી તે અંગે પણ શંકા ઉભી થયેલી છે. જે ઉપરોક્ત તસ્વીરમા નજરે પડે છે. શુક્ર, શની અને રવીમા જ ઉભુ થયેલુ અા બાંધકામનું મજબુતાઈ કેટલી હશે તે તો સમજી શકાય છે પણ શહેર મનપાની કાયદાની અૈસીતૈસી કરી કરનારાઓ સામે પહલાં લેવા જરૂરી બની ગયા છે.