સ્મીમેર હોસ્પિટલમાં (Smimre Hospital) ડો. વંદના દેસાઇના અયોગ્ય વહીવટનો વધુ ઍક નમુનો બહાર આવ્યો છે. સ્મીમેરમાં તબીબોની બ્લેકમેઇલીંગ વચ્ચે રેસીડેન્ટ ડોક્ટરો (Doctors) કામ કરવાથી દૂર ભાગી રહ્ના છે ત્યાં હવે કોરોનાના વોર્ડમાં વોર્ડબોય કે નર્સો પણ પોતાના કામથી દૂર ભાગી રહ્ના છે. બે દિવસથી ઍક વૃદ્ધ ઍમનામ તડફડી રહ્ના છે પરંતુ કોઇઍ તેમને યોગ્ય રીતે ટ્રીટમેન્ટ (Treatment) આપી નથી. આ વૃદ્ધ પોતાના ખાટલા નીચે જ સંડાસ કરી ગયા છે પરંતુ સાફ-સફાઇ માટે પણ કોઇ આવ્યું ન હોવાની ફરિયાદ થઇ છે. આ બાબતે ડો. વંદના દેસાઇઍ મૌન વ્રત ધારણ કરી લીધુ હતુ.
પ્રા માહિતી મુજબ વરાછામાં રહેતા ૭૧ વર્ષિય હરસુખભાઇ ભીખાભાઇ વાઘમશી ગત તા. ૧૭મીના રોજ બિમાર પડ્યા હતા અને તેઅોને શરદી-ખાંસી અને તાવ આવ્યો હતો. મનપાના આરોગ્ય વિભાગે તેમની તપાસ કરીને કોરોનાના શંકાસ્પદ લક્ષણો દેખાતા તાત્કાલીક સ્મીમેર હોસ્પિટલમાં સારવાર માટે ખસેડ્યા હતા. છેલ્લા બે-ત્રણ દિવસથી હરસુખભાઇને ચેક કરવા માટે કોઇ ઉચ્ચ તબીબ આવતા ન હોવાની ફરિયાદ છે. હરસુખભાઇઍ પોતાના સગા ભાઇને ફોન કરીને સ્મીમેર હોસ્પિટલના અણધડ વહીવટની વાત કહી હતી. તેઅોને અોક્સીજન લેવામાં તકલીફ પડી રહી છે પરંતુ કોઇ ડોક્ટર તપાસવા આવતા નથી.નર્સ પણ આવે ત્યારે સામાન્ય દવા આપીને જતી રહે છે. કેવી તબીયત છે, તેમાં સુધારો થયો છે કે નહીં તેવી કોઇપણ માહિતી દર્દીને આપવામાં આવતી નથી.
હરસુખભાઇ અને તેના સગાભાઇ હરીભાઇની વચ્ચે થયેલી અોડિયો ક્લીસ સોશીયલ મીડિયામાં વાઇરલ થઇ હતી. હરસુખભાઇની તબીયત ઍટલી ખરાબ થઇ કે તેઅોઍ બેડ ઉપર જ ટોયલેટ કરી લીધુ હતુ અને તે નીચે જમીન ઉપર પડ્યુ હતું. છેલ્લા બે દિવસથી આવી હાલત છે પરંતુ સ્મીમેર હોસ્પિટલના કોઇ વોર્ડબોય કે સ્ટાફ ત્યાં તપાસ કરવા શુધ્ધા ગયા નથી કે સાફ-સફાઇ પણ કરાવી નથી. જા આવી જ રીતે ડોક્ટરો અને સ્ટાફ કર્મચારીઅો પોતાને કોરોના વોરિયર તરીકે ગણાવતા હોય તો તે ખુબ જ ખોટુ છે. તેઅો કોરોના વોરિયર નહીં પરંતુ કોરોના ફેલાવવાના કારણભુત છે તેમ પણ કહી શકાય. આ બાબતે ઉચ્ચ તબીબોને ફરિયાદ કરવામાં આવી હતી. સ્મીમેર હોસ્પિટલનો આવી જ રીતે વહીવટ રહ્ના તો કોરોના અટકાવવાને બદલે અજગરી ભરડો લે તેવી શક્યતા છે.