કહેવાય છે કે વ્યાજના ચક્કરને ઘોડા પણ ન અાંબે, માણસ કેટલો અાર્થિક તંગીમાં ભીંસાતો હશે કે તેણે લેવા પડે છે વ્યાજે નાણાં.જીવન નિર્વાહ કરવા અને ઘંઘા રોજગારી માટે જરૂર પડે છે નાણાંની જે ને ચુકવવા કે ચાર છેડા ભેગા કરવા પડે છે પારાવાર મુશ્કેલી.
સુરતમાં વરાછાના યુવકને વ્યાજે નાણાં લેવા પડયા ભારે. ત્રણથી ચાર ટકા લીધેલા નાણાંનું વ્યાજ નહીં ચૂકવી શકતા વ્યાજખોરોએ માર્યો માર.જાહેર રસ્તા પર દોડાવી દોડાવીને સળિયા વડે માર્યો હતો માર.
એમ્બ્રોડેરીના મશીન ચલાવતા ધીરુભાઈ ગોંડલીયાએ અગાઉ 15 લાખની રકમ વ્યાજપેટે લીધા હતા નાણાં. કુલ 15 લાખના 32 લાખ ચુકવ્યા છતાં મારવાની મળી ધમકી. મારનો ભોગ બનેલા ધીરુ ગોડલીયાએ નવેમ્બર માસમાં કાપોદ્રા પોલીસ મથકમાં કરી હતી ફરિયાદ.બીપીનભાઈ તળાવિયા અને રોહિત તળાવિયા સહિતના ઈસમો સામે નોંધાઇ હતી ફરિયાદ.કાપોદ્રા પોલીસે બને શખ્સોની અટકાયત પણ કરી હતી.છતાં ધીરુભાઈને રૂપિયા અથવા મુદ્દલ આપવા કરવામાં આવી રહ્યું છે દબાણ.
સુરત પોલીસ કમિશનરને મળી કરવામાં આવી વ્યાજખોરો સામે રજુઅાત.કાપોદ્રા પોલીસે ફરી કાર્યવાહીની દિશામાં હાથ ધરી તપાસ.