સુરત જિલ્લામાં કોરોના પોઝિટિવ કેસનો આંક 17,730 પર પહોંચી ગયો છે. આ સાથે શહેરમાં કોરોનાથી મૃત્યુઆંક 740 થઈ ગયો છે. ગત રોજ શહેરના 298 અને જિલ્લાના 42 મળી આજે વધુ 340 લોકોને રજા આપવામાં આવી હતી. જેથી કોરોનાની સારવાર લઇને કુલ 13,994 લોકો સાજા થઇ ગયા છે. હજી પણ શહેર અને જિલ્લા મળી કુલ 2995 લોકો હજી કોરોનાની સારવાર લઈ રહ્યા છે.
સુરત શહેરમાં કુલ 14,095 પોઝિટિવ કેસમાં 576નાં મોત થયા છે. જ્યારે જિલ્લામાં કુલ 3635 પૈકી 164ના મોત થયા છે. સુરત શહેરમાં કુલ 17,730 કેસમાં 740ના મોત થયા છે. સુરત શહેરમાં અત્યાર સુધીમાં કુલ 11,151 દર્દીઓને રજા આપવામાં આવી છે. જ્યારે આજે ગ્રામ્યમાં કુલ 2843 દર્દીઓ સાજા થયા છે.
નવી સિવિલ અને કોવિડ હોસ્પિટલમાં વોર્ડમાં 142 દર્દીઓ પૈકી 104ની હાલત ગંભીર છે. 6 વેન્ટિલેટર, 23 બાઈપેપ અને 75 દર્દીઓ ઓક્સિજન પર છે. સ્મીમેર હોસ્પિટલમાં 88 પૈકી 78 દર્દીઓની હાલત ગંભીર છે. 6 વેન્ટિલેટર, 20 બાઈપેપ અને 49 દર્દીઓ ઓક્સિજન પર છે.