ડોર ટુ ડોર ગાર્બેજ કલેકશનમાં બહાર આવી રહેલી ગોબાચારીઓ અંગે મનપા કમિશ્નનરને જાણ હોવા છતાં તટસ્થ તપાસ કે પગલાં લઇ નથી રહ્યા તેવુ લાગી રહ્યુ છે કે કોન્ટ્રક્ટરના હાથ મનપા કમિશ્નર સુધી ડોર ટુ ડોર ગાર્બેજ કલેકશનમાં થઇ રહેલા ટન વધારા અને 40 થી 50 ટન દરરરોજ વધુ વજન વધારી મનપાની તીજોરી પર બોજો નંખાઇ રહ્યો છે. જેનો ભાગ આમ જનતાને વેરા પેટે ચુકવવાનો રહે છે. આ વિષય પર સત્ય ડે.com અને સત્ય ડે દૈનિક દ્રારા આ વાતની પૃષ્ટી કરવામાં આવી છે
કે શું કોન્ટ્રક્ટરોને બ્લેક લીસ્ટ કરીને અને કોન્ટ્રાક્ટરને ફક્ત નોટીસ આપીને સંતોષ મનાઇ રહ્યો છે. આ બધી બેદરકારી કામગીરીનો ભોગ આમ જનતાને વેરા પેટે ચુકવવાનો રહે છે. અને જો આમ જનતા અવાજ ઉઠાવે તો તેનો અવાજ દબાવી દેવામાં આવે છે. જ્યારે ગાર્બેજની કામગીરી સંતોષકારક થઇ રહી નથી. અને જનતાને વેરા પેટે માર મારવામાં આવે છે. મનપા કમિશ્નરની આંખ ક્યારે ખુલશે તે જોવાનું રહ્યુ અત્યારે તો ફક્ત ઔપચારીકતાઓ કરી કામગીરી કરી રહ્યુ છે. સેન્ટ્રલ ઝોનના આરોગ્ય ખાતાના અધિકારીઓને ટેલિફોનિક વાતચીત દરમિયાન વારંવાર થઇ રહેલી ગોબાચારી અંગે જાણ કરાઇ રહી હોવા છતાં અધિકારીઓ ગાર્બેજ કલેકશન કોન્ટ્રાક્ટરને બચાવવા તમામ હઠકંડાઓ અપનાવી રહ્યા છે. આ કાર્યવાહી થાશે કે કેમ તેના પર સૌની નજર રહેલી છે.
સત્ય ડે.com / સત્ય ડે દૈનિક