ભારતમાં આજે ભાગ્યે જ એવું શહેર કે કસબો હશે જ્યાં પાણીની સમસ્યા નહીં હોય. વધતી ગરમી અને અવ્યવસ્થિત વસાહટે લોકોની સામે પાણીનો ગંભીર પડકાર ઊભો કરી દીધો છે. તેમ છતાંય મોટાભાગના લોકો હજુ પણ પાણીની કિંમત નથી સમજતા અને તેને એમ જ વેડફી નાખે છે. પાણી બચાવવા માટે જ્યાં મોટાભાગના લોકોમાં ઉદાસીનતા જોવા મળે છે, બીજી તરફ એક વ્યક્તિ એવા પણ છે જે 84 વર્ષની ઉંમરે પણ લોકોના ઘરે-ઘરે જઈને તેમના ટપકતા નળોને રિપેર કરે છે, જેથી ચોખ્ખું પાણી બરબાદ ન થાય.
આ વ્યક્તિનું નામ છે આબિદ સુરતી. આબિદ પેન્ટર, લેખક અને કાર્ટૂનિસ્ટ છે. આ ઉપરાંત તેમની વધુ એક ઓળખ છે, ઘરે-ઘરે જઈને એવા નળોને રિપેર કરવા જેમાંથી પાણી ટપકી રહ્યું હોય અને તે પણ એકદમ મફત.
આબિદ જણાવે છે કે હું ફુટપાથ પર મોટો થયો અને મેં એક ડોલ પાણી માટે લડાઈ જોઈ છે. તેમનું કહેવું છે કે નાનપણથી જ પાણી ટપકવાનો અવાજ તેમને પરેશાન કરતો હતો. તેઓ કહે છે કે તે સમય મારું શરીર ખૂબ જ સંવેદનશીલ હતું. હું દરેક ટીંપાનો અવાજ સ્પષ્ટપણે સાંભળી શકતો હતો, જેમ કે કોઈ મને હથોડો મારી રહ્યું હોય.