કોરોનાના સંક્રમણ વચ્ચે સ્વનિર્ભર શાળાઓ (Self Finance Schools) અને વાલીઓ વચ્ચે ફી અંગે ચાલી રહેલો વિવાદ હાઈકોર્ટ (High Court) સુધી પહોંચ્યો છે. તો બીજી બાજુ ગુજરાત સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ સાથે જોડાયેલી સુરતની 16 જેટલી સ્વનિર્ભર શાળાઓએ શિક્ષકો (School Teachers) અને કર્મચારીઓના પગારમાં કાપ મૂકીને વાલીઓને 25 ટકા ફી માફીની રાહત આપી છે. જો કે વાલીમંડળના ઘણા સભ્યોએ ફી માફીને લોલીપોપ ગણાવ્યું છે. સરકાર દ્વારા સ્વનિર્ભર શાળા સંચાલક મંડળને તમામ બાળકોની ફી માં 25 ટકા ફી (Fees) માફીની માંગ કરવામાં આવી હતી. પરંતું શાળા સંચાલક મંડળ દ્વારા તેને નકારવામાં આવી છે. જે અંગેનો અંતિમ નિર્ણય હવે હાઈકોર્ટમાં જ લેવાશે
સુરત સ્વનિર્ભર શાળા સંચાલક મંડળના પ્રવક્તા દીપક રાજગુરુએ જણાવ્યું હતું કે સરકારે દરેક બાળકની ફી માં 25 ટકા રાહતની માંગ કરી છે તો શાળા સંચાલકો માચે પણ રાહત પેકેજ જાહેર કરવું તે તેમની જવાબદારી છે. અમે જરૂરીયાતમંદ વાલીઓને 100 ટકા ફી માફી આપવા માટે રાજી છીએ, પણ તમામ બાળકોની ફી માં કાપ મુકવો તે સંચાલકો માટે શક્ય નથી.
- ફી માફ કરનાર સુરતની શાળાઓ
- ભક્તિ ઈન્ટરનેશનલ સ્કૂલ, કડોદરા
- નચિકેતા વિદ્યાલય, ઠાકોર દ્વાર સોસાયટી
- ભાવગંગા વિદ્યાલય, સીતાનગર
- પતંજલી વિદ્યાલય , વલણ
- શ્રી રંગ અવધૂત વિદ્યાલય , પુણાગામ
- સુરતજ્ઞાનયોગ વિદ્યાસંકુલ
- એલડી હાઈ સ્કૂલ
- લોકભારતી વિદ્યાલય
- લાલ બહાદુર શાસ્ત્રી વિદ્યાલય
- કસ્તુરબા વિદ્યાભવન
- એલ.પી. સવાણી વિદ્યાલય
- પી.આર.ખાટીવાલા વિદ્યાસંકુલ
- સંસ્કાર જીવન પ્રાથમિક શાળા
- સરસ્વતી વિદ્યાલય
- યોગી પ્રવૃતિ વિદ્યાલય, આંબાં તલાવડી