અનલોક-1 સાથે છૂટછાટો મળી હોવાને કારણે ધીરે ધીરે સૌરાષ્ટ્રવાસીઓ સુરત પરત આવી રહ્યા છે. છૂટછાટને કારણે ધંધા રોજગાર પુનઃ શરુ થયા હોવાથી, અમુક લોકો પરત થઇ રહ્યાં છે. જોકે, સુરતથી સૌરાષ્ટ્રના જનારાઓની સંખ્યા હજુ પણ જળવાઈ રહી છે.
21 મે સુધી સુરતથી વતન તરફ ધસારો ચાલુ રહ્યો હતો. જોકે, દસ-બાર દિવસમાં જ પરિસ્થિતિ એકાએક જ બદલાઇ છે. જેવો અગાઉ 20-22 દિવસ પહેલાં વતન પહોંચ્યાં હતાં. તે હવે ગઈકાલથી સુરત પરત થવા માંડયા છે. બે દિવસ પહેલા જોકે, સૌરાષ્ટ્ર તરફથી આવતી એસ.ટી બસો ખાલી આવતી હતી પણ ગઈકાલથી સંખ્યા જોવા મળી રહી છે, એમ એસટી વિભાગના સૂત્રોએ જણાવ્યું હતું.