પોલીસ ધંધો કરવા દેતી નથી, હેરાન કરે છે, દંડ વસૂલ કરે છે એવી સ્યુસાઇડ નોટ લખી નાનપુરા મક્કાઈ પુલ કસ્ટમ ઓફિસ પાસે 65 વર્ષિય સરફરાઝ ઈબ્રાહીમ શેખ (રહે., રવિવારી બજાર, કસ્ટમ ઓફિસ પાસે, મક્કાઈ પુલ) નામના રિક્ષાચાલક દ્વારા ફાંસો ખાઈ આપઘાત કરી લેવાયો છે. અઠવા પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. આપઘાત કરનાર શ્રમજીવી રિક્ષાચાલકે એક સ્યુસાઇડ નોટ લખી છે, જેમાં પોલીસ વધારે દંડ વસૂલ કરી હેરાન કરે છે અને ધંધો કરવા દેતી નથી. તેવો ઉલ્લેખ કર્યો છે. ઘરે કોઈ હાજર ન હતું ત્યારે રિક્ષાચાલકે પંખાની પાંખ સાથે દુપટ્ટો બાંધી આપઘાત કરી જીવન ટુંકાવી લીધું હતું. સ્યુસાઇડ નોટમાં પોલીસ મેમાનો ઉલ્લેખ પણ કર્યો છે. આર્થિક સંકડામણ અને પોલીસની હેરાનગતિનો ઉલ્લેખ કરાયો હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું. જો કે, અઠવા પોલીસે સ્યુસાઇડ નોટ મામલે કશું પણ કહેવા ઈન્કાર કર્યો છે.
Saturday, May 4