સુરતના વેસુ વિસ્તારમાં 83,560 સ્ક્વેર મીટર જગ્યામાં 51 કરોડના ખર્ચે શહીદ સ્મારક આકાર લઈ રહ્યું છે. લોકો દેશના શહીદોને શ્રદ્ધાંજલિ આપી શકે તે હેતુથી દક્ષિણ ગુજરાતમાં આ એકમાત્ર શહીદ સ્મારક બની રહ્યું છે જેનો પ્રથમ તબક્કો પૂર્ણ થવાને આરે છે. આ શહીદ સ્મારકમાં ભારતીય સૈન્યનો ઈતિહાસ હશે અને મનોરંજનની સુવિધા પણ પૂરી પાડવામાં આવશે. ભારતીય સેનાના ત્રણેય પાંખના વીર જવાનોના શોર્ય દર્શાવવા માટે સુરત મહાનગરપાલિકા દ્વારા આ ખાસ શહીદ સ્મારક અને પીસ મેમોરિયલ બનાવામાં આવી રહ્યું છે. જેનો પ્રથમ તબબકો પૂર્ણ થવાના આરે છે. પ્રથમ તબક્કામાં 30667 સ્ક્વેર મીટર જગ્યામાં 38 મીટર ઊંચો શહીદ સ્તંભ તૈયાર કરાશે. 18 મહિનામાં બે તબક્કામાં આ પ્રોજેક્ટ પૂર્ણ કરવામાં આવશે. 51 કરોડના ખર્ચે આ ખાસ શહીદ સ્મારક તૈયાર થઈ રહ્યું છે. કચ્છના ઝારા ખાતે શહીદ સ્મારક બનાવવામાં આવી રહ્યું છે જે ગુજરાતનું સૌથી મોટું શહીદ સ્મારક રહેશે. જ્યારે દક્ષિણ ગુજરાતના કોઈ પણ શહેરમાં અત્યાર સુધી કોઈ સ્મારક બનાવાયું નથી. શહીદ સ્મારક નથી. સુરતમાં જે શહીદ સ્મારક તૈયાર થઈ રહ્યું છે, તેમાં 250 લોકો બેસી શકે તેવી ક્ષમતા ધરાવતું ઓડિટોરિયમ હશે અને ભારતીય સૈન્યનો ઈતિહાસ દર્શાવાશે.આ સ્મારકમાં યુનિટી સ્ક્વેર, આઝાદીના લડવૈયાઓ અને નાગરિકો અંગે સંપૂર્ણ જાણકારી, સેનાની ત્રણ ગેલેરી, સમયરેખા, મેમરી સ્ક્વેર, ઈન્ફિનિટી પ્લેટફોર્મ તૈયાર થઈ રહી છે..
Saturday, April 27