સુરત:હાલ રાજ્યમાં સુજલામ-સુફલામ જળ અભિયાન ચાલી રહ્યું છે જે અંતર્ગત સુરત મહાનગર પાલિકા દ્વારા સુરત શહેરના જુદા-જુદા વિસ્તારોમાં આવેલા લેક ગાર્ડન, તળાવ, ખાડી અને વોટર વર્કસની સાફ સફાઈ હાથ ધરાઈ હતી.
રાજ્ય સરકાર દ્વારા પાણીની તંગી આવનારા વર્ષોમાં ઉભી ન થાય તે માટે અત્યારથી જ અલાયદ આયોજનો કરી રહી છે જે અતર્ગત ગુજરાત સરકાર દ્વારા પાણી બચાવવા માટે સુજલામ સુફલામ અભિયાન હેઠળ તળાવો ઊંડા કરી પાણી સંગ્રહ કરવાની કામગીરી કરી રહી છે ત્યારે સુરત મહાનગર પાલિકા દ્વારા સુરતના વિવિધ વિસ્તારોમાં કેનાલની સફાઈ હાથ ધરવામાં આવી હતી .