સુરત : સુરતના મુગલીસરા સ્થિત આવેલ નવ માળના એપાર્ટમેન્ટનો દાદરનો ભાગ મોડી રાત્રે ધડાકાભેર સાથે તૂટી પડતા લોકોના જીવા ટાળવે ચોંટી ગયા હતા.સદનસીબે કોઈ જાનહાની ન થતા મોટી દુર્ઘટના ટળી હતી.ઘટનાની જાણ થતાં ફાયર વિભાગનો કાફલો ઘટના સ્થળે પોહચ્યો હતો અને એપાર્ટમેન્ટ સંપૂર્ણપણે ખાલી કરાવ્યું હતું.
સુરતમાં અસંખ્ય જર્જરિત ઇમારતો આવેલ છે.જેનું સમયસર મેન્ટેન્સ અથવા રીનોવેશન નથી કરાવાય રહ્યું.પરિણામે અકસ્માતની ઘટના બનતી હોવાના કિસ્સા પ્રકાશમાં આવે છે.તો સુરત મનપા નું શહેરી વિકાસ ખાતું પણ કોઈ મોટી દુર્ઘટનાની વાટ જોઈ બેઠું હોવાનું સામે આવ્યું છે.આવું જ કંઈક બન્યું છે સુરતમા.જ્યાં સુરતના મુગલીસરા સ્થિત સેન્ટ્રલ ઝોનની સામે આવેલ આનંદ એપાર્ટમેન્ટના ચોથા માલના દાદરનો ભાગ મોડી રાત્રે અચાનક ધડાકાભેર સાથે તૂટી પડ્યો હતો.દાદર પડવાનો પ્રચંડ અવાજ સાંભળી એપાર્ટમેન્ટના લોકો બહાર નીકળી આવ્યા હતા ,તો કેટલાકના જીવ પણ અધ્ધર થઈ ગયા હતા.ઘટનાની જાણ થતા સુરત ફાયર વીભાગનો કાફલો ઘટના સ્થળે પોહચ્યો હતો અને દાદર ના કાતમાલનો ભાગ ખસેડવાની સાથે સંપૂર્ણ એપાર્ટમેન્ટ ખાલી કરાવવાની તજવીજ હાથ ધરી હતી….ફાયર વિભાગ દ્વારા એપાર્ટમેન્ટ ના તમામ લોકોને સહીસલામત બહાર કાઢી લેવામાં આવ્યા હતા.સદનસીબે કોઈ જાનહાની ન થતા મોટી દુર્ઘટના ટળી હતા….જેને લઈ સૌ કોઈએ રાહતનો સ્વાસ લીધો હતો.
ઘટનાં ના પગલે આસપાસના લોકો પણ ત્યાં દોડી આવ્યા હતા.જેના કારણે ભારે લોકટોળુ ત્યાં એકઠું થઈ ગયું હતું. સ્થાનિક સૂત્રોના જણાવ્યાનુસાર આ એપાર્ટમેન્ટ કુલ નવ માળનું છે. એપાર્ટમેન્ટની હાલત પણ જર્જરિત છે.છતાં કોઈ મેન્ટેનન્સ અથવા રીનોવેશન પણ નથી કરવામાં આવી રહ્યું.જો કે બીજી બાબત અહીં સ્પષ્ટ છે કે શહેરમાં આવી અનેક જર્જરિત ઇમારતો છે. છતાં તંત્રના અધિકારીઓ આંખ આડા કાન કરી કોઈ મોટી દુર્ઘટનાની વાટ જોઈ બેઠું છે.ત્યારે મનપા તંત્ર પોતાની આળસ ખનખેરી શહેરમાં રહેલી જર્જરિત ઇમારતોનો સર્વે હાથ ધરી કાર્યવાહી કરે તો બનતી દુર્ઘટનાઓ પર રોક લગાવી શકાય છે.