સુરતના સલાબતપુરા વિસ્તારમાં આવેલા ગ્રાઉન્ડ પ્લસ ચાર માળની ઇમારત નમી પડતા લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો. ઘટના ની જાણ થતા ફાયર વિભાગ અને સુરત મહાનગર પાલિકાના અધિકારીઓએ ઘટના સ્થળે પહોંચી બિલ્ડીંગ ખાલી કરાવવાની તજવીજ હાથ ધરી હતી.
સલાબતપુરા ખાતે આવેલા બક્ષીની વાડી વિસ્તારમાં 35 વર્ષ જૂની ઇમારત આજ રોજ અચાનક નમી પડી હતી. નુરાની હાઉસ નામની આ ઇમારત ગ્રાઉન્ડ પ્લસ ચાર માળની છે, જે 35 વર્ષ જૂની છે. એક ઇમારતમાં ચાર પરિવાર રહેતા હતા. આ ઇમારતમાં રહેતા લોકો ને અચાનક જ એક જોરદાર અવાજ આવ્યો અને પરિવારના સભ્યોએ તપાસ કરી તો જોયું કે ઇમારતના એક ભાગ નો પિલર ડેમેજ થઈ ગયો હતો….જ્યાં ઇમારત એક તરફ નમી પડી હતી.જેથી ઇમારતમાં રહેતા ચારેય પરિવારના લોકોમાં દહેશત અને ભાગદોડ મચી ગઇ હતી. ઇમારત નમી પડતા ઇમારતમાં રહેતા લોકોએ બૂમાબૂમ શરૂ કરી અને મકાનમાં રહેતા બીજા લોકોને પણ સજાગ કરી દીધા હતા.. જેને કારણે બિલ્ડીંગ માં રહેતા તમામ લોકો બહાર આવી ગયા હતા. તત્કાળ સ્થાનિકો એ ફાયર વિભાગ જાણકારી આપી હતી. ફાયર વિભાગ અને મનપાના અધિકારીઓ તત્કાળ ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને ચાર પરિવારના 17 જેટલા લોકોનો માલસામાન ને બહાર કાઢવાની તજવીજ હાથ ધરી હતી.