સુરત : સુરતના લીંબાયત વિસ્તારમાં આવેલ જુદી જુદી ઝુંપડપટ્ટીના લોકોને ચામડીના રોગ થતા આરોગ્ય તંત્ર હરકતમાં આવ્યું હતું..છેલ્લા છ મહિનાથી કોર્પોરેશનનું પાણી પીળું આવતું હોવાના કારણે આ રોગ ફેલાયો હોવાની લોકફરિયાદ ઉઠી છે.તો દોડતા થયેલા તંત્રના અધિકારીઓએ ચામડીના રોગનું નિદાન કરવાને બદલે સ્વાઇન ફલુની દવા આપી લોકો પાસે દસ દસ રૂપિયા ઉઘરાવ્યા હોવાની રાવ ઉઠી છે.સાથે જ વિપક્ષે પણ મનપા ના અધિકારીઓ ભાજપ સાશકો ના ઈશારે કામ કરતા હોવાના આરોપ મૂકી રોષ વ્યકત કર્યો હતો.
સુરતનો લીંબાયત સ્થિત અનવર નગર ઝૂંપડપટ્ટીનો આ વિસ્તાર છે.જ્યા 100 થી પણ વધુ લોકોને ચામડીના રોગ થયા હોવાની ફરિયાદ ઉઠી છે.લોકોના શરીરે ખજવાળ જેવા નિશાન પડી ગયા છે.અનેક વખત મનપા તંત્રને જાણ કરવામાં આવી છે.છતાં તંત્રના અધિકારીઓએ આળસ સુધા ખંખેરી ન હતી.બાદમાં લોકોનો ગુસ્સો પારખી ગયેલા તંત્રના અધિકારીઓ સ્થળ પર દોડી ગયા અને આરોગ્યલક્ષી તપાસ શરૂ કરી હતી.જો કે અધિકારીઓની ટિમ સ્થળ પર તો પોહચી ,પરંતુ ચામડીના રોગોનું નિદાન કરવાને બદલે લોકોને સ્વાઇન ફ્લુની દવા આપવામાં આવી હતી.પરંતુ બાદમાં આરોગ્ય વિભાગની બીજી ટિમ અહીં પોહચી હતી અને તપાસ કરી હતી.આરોગ્ય વિભાગની તપાસમાં કુલ 121 લોકોને ચામડીના રોગ હોવાનું બહાર આવ્યું હતું.જ્યા તમામનું સ્થળ પર જ નિદાન કરવામાં આવ્યું હતું…આ સિવાય અહીં આવેલ કુલ 1200 જેટલા મકાનોનું પણ સર્વે હાથ ધરવામાં આવ્યું હતું.આરોગ્ય વિભાગની કામગીરી સામે.લોકોએ અસંતોષ વ્યક્ત કર્યો હતો.
લીંબાયતના અનવર નગર સહિત આસપાસની અન્ય ઝૂંપડપટ્ટી વિસ્તારમાં પણ આ પ્રકારની સમસ્યા ઉદભવતી હોવાની રાવ વિપક્ષે કરી છે.સુરત મહાનગર પાલિકાની મળેલ સ્વચ્છતાના બિરુદ સામે પણ વિપક્ષે સવાલ ઉઠાવ્યા હતા
હાલ તો આરોગ્ય આરોગ્ય વિભાગની ટિમ ઘરે ઘરે જઈ અન્ય લોકોને આરોગ્યલક્ષી તપાસ કરી રહી છે.આ સિવાય અન્ય લોકોને પણ આ પ્રકારની બીમારી છે કે કેમ તે શોધવાના પ્રયાસ કરી રહી છે.તો બીજી તરફ ચામડીના રોગ પાછળનું કારણ દૂષિત પાણી હોવાનું લોકો માણી રહ્યા છે.