ધર્મીસ્થા બ્રહ્મભટ્ટ સત્ય ન્યુઝ – સુરત
બેફામ ફી વસુલતી શાળાઓ સામે સરકાર દ્વારા ઘડવામાં આવેલ ફી નિર્ધારણ નો કાયદો કડકપણે બનાવવા આવે તેમજ હાલ પણ ફી મુદ્દે કરવામાં આવતા શાળાના દબાણ સંદર્ભે ગુજરાત વાલી મંડળે આજ રોજ ગુજરાત ની તમામ શાળા બંધનું એલના આપ્યું છે.જો કે સુરતમાં આ બંધને કોઈ પણ પ્રકારનું સમર્થન નથી મળ્યું.જ્યાં મોટાભાગની તમામ શાળાઓ વહેલી સવારથી જ કાર્યરત જોવા મળી અને વાલીઓ પણ પોતાના બાળકોને શાળાએ છોડવા આવતા નજરે પડ્યા.
વાલીઓ પાસે ખાનગી શાળા સંચાલકો દ્વારા બેફામ ઉઘરાવવામાં આવતી ફી મુદ્દે રાજ્ય સરકારે ફી નિયમનનો કાયદો અમલમાં મુક્યો હતો.જો કે ખાનગી શાળા સંચાલકોએ આ કાયદાને ગુજરાત હાઈકોર્ટમાં પડકાર્યો હતો.પરંતુ હાઈકોર્ટ દ્વારા રાજ્ય સરકાર અને વાલીઓના હિત માં ચુકાદો આપવામાં આવ્યો હતો.જ્યાં ફરી ખાનગી શાળાના સંચાલકોએ રાજ્ય સરકારના આ કાયદાને પડકારવા સુપ્રીમ કોર્ટમાં ગુહાર લગાવી છે.જેમાં ગુજરાતની કુલ 3800 શાળાઓ ,જ્યારે સુરતની 389 સ્વનિર્ભર શાળાઓનો સમાવેશ થાય છે.હાઈકોર્ટ દ્વારા ફી નિયમનના કાયદાનું ચુસ્તપણે પાલન કરવા તમામ શાળાઓને આદેશ આપ્યો હોવા છતાં સંચાલકો બેફામ વાલીઓ પાસે મનફાવે તેમ ફી વસુલી રહયા છે.એટલું જ નહીં મનસ્વી રીતે નક્કી કરેલ ફી ભરવા વાલીઓ અને વિધાર્થીઓ પર પણ સંચાલકો દબાણ કરી રહ્યા છે.રાજ્ય સરકાર શાળા સંચાલકો સામે કડક કાર્યવાહી ન કરી રહી હોવાની રાવ ગુજરાત વાલી મંડળે કરી છે.ફી નિયમન કાયદાનું ચુસ્તપણે પાલન કરવામાં આવે અને બેફામ ફી ઉઘરાવતી શાળા સંચાલકો સામે પણ કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ સાથે ગુજરાત વાલી મંડળ દ્વારા આજ રોજ ગુજરાત ભરની શાળા બંધનું એલાન આપ્યું હતું.જ્યાં પોતાના બાળકોને શાળાએ ન મોકલી ગાંધીચીંધયા માર્ગે વિરોધ કરવાની જાહેરાત ગુજરાત વાલી મંડળે કરી હતી.પરંતુ સુરતમાં આ બંધનો ફિયાસ્કો થયો છે.જ્યાં શહેરની મોટાભાગની તમામ શાળાઓ કાર્યરત જોવા મળી હતી અને પોતે વાલીઓ જ બાળકોને શાળાએ મુકવા માટે આવતા જોવા મળ્યા હતા.