સુરત: મનપા દ્વારા આપવામાં આવેલ એસએમસી આવાસમાં હલકી કક્ષાનું મટીરીયલ વાપરી લાભાર્થીઓને આપવામાં આવ્યા હોવાના આક્ષેપ સાથે આવાસવાસીઓએ આજ રોજ જિલ્લા કલેકટર કચેરી બહાર મોરચો માંડી આવેદનપત્ર પાઠવ્યું હતું.
સુરત ના ભેસ્તાન સ્થિત જિયાવ બુડિયા રોડ પર મનપા દ્વારા સરસ્વતી આવાસ બનાવવામાં આવ્યા છે. સરસ્વતી આવાસમાં કુલ 600 જેટલા મકાનો આવ્યા છે. જેમાં ગરીબ- વર્ગની પ્રજા રહે છે. લાભાર્થીઓને આ આવાસ આપવાના માંડ માંડ ચાર વર્ષ જ થયા છે. જો કે આવાસની ગુણવત્તા સામે લોકોએ ઉઠાવ્યા છે.આવાસમાં રહેતા લોકોના જણાવ્યાનુસાર તેઓના ઘરોમાંથી રીતસરના પોપડા ખડી રહ્યા છે. દીવાલોમાંથી પણ પાણી ઉતરે છે. જેના કારણે લોકો સમસ્યાનો સામનો કરી રહયા છે.સુરત મનપા તંત્રને અનેકવખત રજુવાત કરવા છતાં હજી સુધી સમસ્યાનું કોઈ નિરાકરણ નથી આવ્યું.જેને લઈ આજ રોજ તમામ આવસના રહેવાસીઓ દ્વારા જિલ્લા કલેકટર કચેરી બહાર મોરચો મંડવામાં આવ્યો છે.આવાસમાં મોટા પાયે ભ્રષ્ટચાર થયો હોવાની પણ ગંધ આવી રહી છે.ત્યારે ગરીબ વર્ગના લોકોને ન્યાય મળે તે હેતુસર જિલ્લા કલેકટરને આવેદનપત્ર પાઠવી રજુવાત કરવામાં આવી છે.