રાજ્યમા એક તરફ સ્વાઇન ફલૂએ માથું ઊંચક્યું છે,ત્યાં બીજી તરફ તંત્રની જ આળસ ના કારણે રોગચાળો બેકાબુ બનતો દેખાય રહ્યો છે.વાત છે સુરતની નવી સિવિલ હોસ્પિટલની..જ્યા હોસ્પિટલના મુખ્ય દ્વાર પાસે જ ગટરના ગંદા પાણીના દ્રશ્યો જોવા મળ્યા .સાથે જ આ પાણીમાં મચ્છરો અને પાણીજન્ય કીડાઓની પણ હાજરી જોવા મળી.
સુરત સિવિલ હોસ્પિટલના અંધારપટ વહીવટના અનેક કિસ્સા ભૂતકાળમાં પ્રકાશમાં આવી ચુક્યા છે. હાલ રાજ્ય સહિત શહેરમાં સ્વાઇન ફલૂ તેમજ મેલેરિયા જેવા રોગોના કારણે લોકો બીમારીના વાવરમાં સપડાઈ રહ્યા છે.તંત્ર દ્વારા આરોગ્ય લક્ષી સલાહ – સૂચનો આપવામાં આવે છે.જો કે તંત્રના જ અંધારપટ વહીવટનો કિસ્સો સામે આવતા અનેક સવાલ ઉભા થયા છે.સુરત નવી સિવિલ હોસ્પિટલ ના મુખ્ય દ્વાર ની બાજુમાં જ ગટરના ગંદા પાણી ઉભરાય રહ્યા છે.જેમાં મચ્છરો સહિત પાણીજન્ય કીડાઓની હાજરી જોવા મળી રહી છે..ગટરના પાણીનો ભરાવ હોવા છતાં તેના નિકાલ કરવામાં સિવિલ હોસ્પિટલના સત્તાધીશોને બિલકુલ પણ રસ ન હોય તેવું અહીં ફલિત થઈ રહ્યું છે .હાલ જ મુખ્ય પ્રધાન વિજય રૂપાણી દ્વારા સુરત સીવીલ હોસ્પિટલની મુલાકાત લેવામાં આવી હતી..જે દરમ્યાન સિવિલના સત્તાધીશોએ વ્હાલા બનવા સમગ્ર સિવિલ હોસ્પિટલને રંગરોગાન કરવાની સાથે દવા છટકાવ કરાવ્યો હતો.જે મુખ્ય પ્રધાનના વ્હાલા – દોહલા બનવા કરવામાં આવ્યું હોવાનો રાગ ઉઠ્યો હતો….જો કે સુરત સિવિલ હોસ્પિટલમાં ગંદકીના સામે આવેલા આ દર્શયો તંત્રની
આરોગ્યલક્ષી અને સાફસફાઈની કામગીરીની ચાળી ખાય છે.