સુરત : સુરતમાં મંગળવારના રોજ શહેરના અલગ અલગ ઓવારાઓ પરથી ભક્તો દ્વારા વિઘ્નહર્તાને ભાવભીની વિદાય આપવામાં આવી હતી…ભક્તો દ્વારા વાજતે- ગાજતે શ્રીજીની વિસર્જન યાત્રા કાઢી આ પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી હતી.જો કે તાપી નદીમાં દુંદાળા દેવના વિસર્જન બાદ અસંખ્ય પ્રતિમાઓનું યોગ્ય વિસર્જન ન થતા ભક્તોની ધાર્મિક લાગણી દુભાવા પામી છે.
વીઓ :સુરતના ડક્કા ઓવારા ના આ દર્શયો છે,જ્યા મંગળવારના રોજ વિઘ્નહર્તાની વિસર્જન પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી.સુરતમાં ગણેશભક્તો દ્વારા શ્રીજીની ઢોલ – નગારા સાથે વિસર્જન યાત્રા કાઢી ઓવારા સુધી લઈ જવામાં આવી હતી.જ્યા શ્રીજીની નાની- મોટી મળી આશરે 65 હજારથી પણ વધુ પ્રતિમાઓનું વિસર્જન કરવામાં આવ્યું હતું. શરુવાતના તબક્કે તાપીમાં ભરતીના પાણી આવતા વિસર્જન પ્રક્રિયા સહેલાઈથી થઈ હતી.મોડી રાત સુધી સુરતના તાપી નદીના અલગ અલગ ઓવારાઓ પર વિસર્જન પ્રક્રીયા ચાલી રહી હતી.જો કે મોડી રાત બાદ ભરતીના પાણી ઓસરી જતા શ્રીજીની નાની – મોટી પ્રતિમાઓ ખંડિત થઈ કિનારાઓ પર આવી ગઈ હતી.આજ રોજ સવારથી આ પ્રતિમાઓને જોવા કિનારા પર ભક્તોની મોટી ભીડ જોવા મળી હતી.અગિયાર દિવસ સુધી ઘર અને પનદાળ માં મૂકી જે ગણેશની પ્રતિમાની ભક્તિભાવપૂર્વક પૂજા – અર્ચના કરાઈ હતી,તે પ્રતિમાઓને આવી હાલતમાં જોઈ ભક્તોની ધાર્મિક આસ્થાને મોટી હાનિ પોહચી હતી.કેટલાક લોકોએ પીઓપી ની પ્રતિમાઓ પર પ્રતિબંધ લગાવવા તંત્રને હાકલ કરી હતી.તો કેટલાક લોકોએ માટીની નાની પ્રતિમાઓને જ સ્થાપના કરવાની પરવાનગી આપવામાં આવે તેવી વાત જણાવી હતી.સરકાર આ મામલે ગંભીર બને તેવા સૂચનો કેટલાક ગણેશ ભકતો દ્વારા આપવામાં આવ્યા હતા.