રાજ્યમાં જીવલેણ કોરોના વાયરસનો કહેર વધ્યો છે. ગુજરાતના અમદાવાદ અને સુરતમાં સ્થિતિ ભયાવહ બની રહી છે, ત્યારે આ વચ્ચે કોરોનાના જાહેર થતાં આંકડાના વાસ્તવિક ચિત્ર ઉપરથી ભેદી પડદો ઉંચકાયો છે. અને ચોંકાવનારી હકીકત સામે આવી છે. ઉલ્લેખનીય છે કે સુરત શહેરના આરોગ્ય વિભાગે જાહેર કરેલા પ્રતિદિવસ ટેસ્ટિંગ અને તેમાં આવતા પોઝિટીવ કેસોનો આંકડો જાહેર કર્યો છે, તે અત્યંત ઓછો છે, શું તંત્ર કંઈ છુપાવી રહ્યું છે.સુરત મહાપાલિકાની યાદી મુજબ પ્રતિદિવસ સરેરાશ 500 નવા કોરોના સંક્રમિતો કેસો નોંધાઈ રહ્યા છે. જ્યારે બીજીતરફ પ્રતિદિવસ કુલ 20 હજાર લોકોના રેપિડ એન્ટીજન ટેસ્ટ અથવા RT-PCR ટેસ્ટ થઈ રહ્યા હોવાનો આરોગ્ય તંત્રનો મોટો દાવો કરવામાં આવ્યો છે. ત્યારે આ દાવાની પોલ ઉઘાડી પડી છે. જેમાં આ દાવાની સામે સંક્રમિતોના કેસના દરે ઘાતક વાયરસના કેસોની સંખ્યા પાલિકા છુપાવી રહી છે તેપણ ઉઘાડી પડી છે.સુરતમાં કોરોનાના વધતા કેસો ચિંતાનું કારણ બન્યા છે.સુરતના અઠવા અને રાંદેર ઝોનમાં કેસોની સંખ્યા વધારે છે.આ વિસ્તારમાં દૈનિક 100 જેટલા કેસો આવી રહ્યાં છે,અત્યાર સુધી આ વિસ્તારમાં 10,257 કેસો પોઝિટીવ આવી ચૂક્યા છે,સુરતના વેસુ વિસ્તારમાં 55 વ્યક્તિઓના ટેસ્ટિંગ કરવામાં આવતા 8 લોકો પોઝિટીવ આવ્યા હતા.સુરતના આગમન વિવયાના રેસિડેન્સીમાં કોરોના સંક્રમિત લોકો મળી આવ્યા હતા.સુરતમાં કોરોનના કેસોનું પ્રમાણ વધતા લોકોની ચિંતામાં વધારો થયો છે.લોકોએ કોરોના ટેસ્ટ અને વેકસીન મુકાવવા માટે હાલ આગળ આવી રહ્યા છે.સુરતમાં સૌથી વધુ કેસ હાલ અઠવા ઝોનમાં આવી રહ્યા છે.જેના પગલે આ ઝોનના લોકો વહેલી સવારથી હેલ્થ સેન્ટરો પર ટેસ્ટિંગ કરાવવા માટે ઉમટી રહ્યા છે.પાલિકા કમિશનર દ્વારા હાલ લોકોને કોરોના વેકસીનનો લાભ લેવા લોકોને અપીલ કરવામાં આવી રહ્યા છે.જેના અનુસંધાને અઠવા ઝોનમાં આવેલ પનાસ સ્થિત હેલ્થ સેન્ટરો પર વેકસીન મુકાવવા માટે લોકોનો ઘસારો જોવા મળી રહ્યો છે.જો કે પનાસ હેલ્થ સેન્ટર પર પાલિકાનો સ્ટાફ ઓછો હોવાના કારણે રેપીડ ટેસ્ટ કરાવવા આવતા લોકોને ભારે મુશ્કેલીઓ પણ પડી રહી છે.પનાસ હેલ્થ સેન્ટર પર સ્ટાફ વધારવાની માંગ ટેસ્ટિંગ અને વેકસીન લેવા આવતા લોકો કરી રહ્યા છે.
