સુરત: લસકાના વિસ્તારમાં લોક ડાઉન વધવાના અણસાર વચ્ચે કારીગરો રસ્તા પર ઉતરી આવ્યા હતા અને વિરોધ નોંધાવી આગચાંપી કરતા મામલો ગરમાયો કર્યો…ઘટનાની જાણકારી મળતા સરથાણા પોલીસ સહિત પોલીસના ઉચ્ચ અધિકારીઓ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા હતા.પોલીસે મામલો થાળે પાડી આશરે પંચાસ જેટલા લોકોની અટકાયત કરી આગની કાર્યવાહી હાથ ધરી હતી.જો કે આવું કરવા પાછળ નું કારણ કારીગરોએ વતાંજવાની જીદ પકડી હોવાનું જાણવા મળે છે.
કોરોનાવાયરસ ની મહામારીને લઇ સમગ્ર દેશભરમાં લોકડાઉંનની સ્થિતિ હાલ ચાલી રહી છે લોકડાઉંનના પગલે ધંધા-રોજગાર પણ સંપૂર્ણપણે બંધ પડી ચૂક્યા છે ત્યારે આ લોકડાઉંનની સ્થિતિ વચ્ચે સૌથી દયનિય હાલત શ્રમજીવી અને ગરીબ વર્ગના લોકોની થઈ રહી છે.. હાલ લોકડાઉંનની સ્થિતિ વચ્ચે સુરતના ધંધા-રોજગાર બંધ છે ત્યારે ખાતામાં કામ કરતા કારીગરો વતન તરફ હિઝરત કરવા મજબુર બની રહ્યા છે.તેમાં પણ ખાસ વતનથી સુરત આવી વસેલા ઓરિસ્સાવાસી કારીગરો ને હાલ કોઇ વ્યવસ્થા ના મળતા તેઓની ચિંતામાં વધારો થયો છે.જ્યાં આજ રોજ સુરતના લસકાના વિસ્તારમાં કારીગરો રસ્તા પર ઉતરી આવ્યા હતા અને ભારે હોબાળો મચાવ્યો હતો.કારીગરોએ રસ્તા પર ઉતરી ટાયરો અને શાકભાજીની લારીઓમાં આગચાંપી કરી હતી.આશરે ત્રણસો થી ચારસો કારીગરો ના ટોળા દ્વારા રસ્તા પરથી પસાર થતી એમ્બ્યુલન્સ પર પથ્થરમારો કર્યો હતો.જ્યાં ઘટનાની જાણકારી મળતા સરથાણા પોલીસ સહિત પોલીસ ના ઉચ્ચ અધિકારીઓનો કાફલો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યો હતો.પોલીસે ભારે સમજાવટ બાદ મામલો થાળે પાડ્યો હતો.જ્યારે આગચંપીના પગલે ફાયર વિભાગ પણ ઘટના સ્થળે દોડી આવી હતી ..લસકાના વિસ્તારમાં થોડા સમય માટે પરિસ્થિતિ વણસી હતી.જો કે બાદમાં પોલીસે નાછૂટકે આશરે પંચાસ જેટલા લોકોની અટકાયત પણ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.