સુરત : સુરતની લાજપોર જેલમાં છેલ્લાં અઢાર વર્ષથી સજા ભોગવી રહેલા પાકા કામના કેદીએ ઝેરી દવા ગટગટાવી આપઘાતનો પ્રયાસ કર્યો છે…લાજપોર જેલના સુપ્રિન્ટેન્ડેન્ટ સહિત પાંચ લોકો માનસિક ત્રાસ આપતા હોવાના કારણે આ પગલું ભર્યું હોવાના આરોપ કેદીએ કર્યા છે….જ્યાં આરોપીને હાલ સારવાર અર્થે સુરત નવી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે.સિવિલ હોસ્પિટલમાં દાખલ દર્દીને હાલ સારવાર આપવામાં આવી રહી છે.
વીઓ : સુરતની લાજપોર જરલમાં નૂર મોહમ્મદ ઇસ્માઇલ શેખ નામનો આરોપી છેલ્લાં અઢાર વર્ષથી પાકા કામના કેદી તરીકેની સજા ભોગવી રહ્યો છે.આજ રોજ નૂર મોહમ્મદ નામના આ આરોપીએ લાજપોર જેલમાં જ ઝેરી દવા ગટગટાવી આપઘાતનો પ્રયાસ કર્યો છે.જેલમાં જ ઝેરી દવા ગતગતાવતા જેલના સત્તાધીશો પણ દોડતા થઈ ગયા હતા અને તાત્કાલિક કેદીને સારવાર અર્થે સુરત નવી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડયો હતો.જ્યાં આપઘાતનો પ્રયાસ કરનાર નૂર મોહમ્મદ ઇસ્માઇલ શેખે જેલ સુપ્રિન્ટેન્ડેન્ટ સહિત પાંચ લોકો સામે માનસિક ત્રાસનો આરોપ મૂક્યો છે.પાંચે લોકો નૂર મોહમ્મદને નગ્ન કરી ખોટી રીતે હેરાનગતિ કરતા હોવાના આક્ષેપ કેદીએ કર્યા છે.એટલું જ નહીં આરોપીએ વધુમાં જણાવ્યું છે કે તેના સંબંધીઓ જોડે જેલના સતાધીશો મુલાકાત સુધા નથી લેવા દેતા.જેથી માનસિક તાનમાં આવી આ પગલુ ભર્યું હોવાનું કારણ આપઘાત નો પ્રયાસ કરનાર કેદીએ જણાવ્યું છે.જો કે જેલમાં કેદીઓ જોડે ઓરમાયું વર્તન કરવામા આવતું હોવાની ફરિયાદ અગાઉ પણ સામે આવી ચૂકી છે.ત્યારે ઉચ્ચ અધિકારીઓ આ મામલે શુ તપાસ કરાવે છે તે બાબત મહત્વની બની રહે છે..