સુરત : ઉમરા સ્થિત ઓલપાડી મહોલ્લામાં આવેલા એક સાઇ બાબાના મંદિરમાંથી એક ઇસમ તકનો લાભ લઇ સિહાસન પર બેસાડેલા ચાંદીના ૨૦ હજારની કીંમતના ૩ નંગ શંખ ચોરી કરી ફરાર થઇ ગયો હતો ,જો કે તસ્કરે કરેલી આ ચોરી મંદિરમાં લાગેલા સીસીટીવી ફૂટેજમાં કેદ થઇ જવા પામી હતી..
સુરત શહેરમાં તસ્કરોએ તો હવે હદ વટાવી છે.લોકોના ઘર તો ઠીક પરંતુ હવે ભગવાનનું મંદિર પણ સલામત રહ્યું નથી.કારણ કે હવે ભગવાનના મંદિરને પણ તસ્કરો નિશાન બનાવી ચોરી કરી રહ્યા છે.ત્યારે આવી જ એક ઘટના ઉમરા પોલીસ મથકના ચોપડે નોંધાવા પામી છે.સુરતના ઉમરા સ્થિત ઓલપાડી મહોલ્લામાં આવેલ શ્રી સાઇ શક્તિ સાઇ બાબા મંદિરને અંજાણ્યા ચોર સખસે નિશાન બનાવ્યું છે.જેમાં ગણેશ વિસર્જનના દિવસે મંદિરના પુજારી સવારના ૧૧ વાગ્યાના અરસામાં અન્ય જગ્યાએ પૂજા કરવા ગયા હતા.જે દરમ્યાન એક ૨૨ થી ૨૭ વર્ષનો ઇસમ મંદિરમાં પ્રવેશ કરે છે અને મંદિરમાં ૧૧ મિનીટ સુધી પેશી રહે છે….. બાદમાં સિહાસન ઉપર બેસાડેલા ૨૦ હજારની કિમતના ચાંદીના ત્રણ નંગ શંખ ચોરી કરી ફરાર થઇ જાય છે.જો કે ઇસમેં કરેલી ચોરી મંદિરમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઇ જવા પામી છે.
બનાવ અંગે મંદિરના પ્રમુખ મોહનભાઈ છગનભાઈ પટેલે તાત્કાલિક ઉમરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.પોલીસે તેઓની ફરિયાદના આધારે ગુનો નોંધી સીસીટીવી ફૂટેજ પરથી આરોપીની શોધખોળ શરૂ કરી છે .