કોમ્પ્યુટર યુગમાં જ્યાં લોકો મોબાઈલ ઈન્ટરનેટ ને પોતાનું જીવન બનાવી ચુક્યા છે.લોકો સુખ અને સમૃદ્ધિ મેળવવા માટે દિવસરાત એક કરી રહ્યા છે ત્યારે સુરતના કરોડપતિ કાપડના વેપારીના પુત્રે દીક્ષા લઈ મોહ અને માયાથી મન વાળી ધાર્મિકતાનો માર્ગ પસંદ કર્યો છે.જ્યાં સુરતમાં કાપડના વેપારી મનોજ શ્રીશ્રીમલનો 17 વર્ષીય પુત્ર દિક્ષા લઈ હવે મુમુક્ષુ નિગ્રંથ વિમલસાગર મહારાજ બની ગયા છે.
સુરતના ઘોડદોડ વિસ્તારમાં રહેતા કાપડ ના વેપારી મનોજ શ્રીશ્રીમલના 17 વર્ષીય પુત્ર આજે દીક્ષા અંગીકાર કરી મુમુક્ષુ નિગ્રંથ વિમલસાગર મહારાજ બની ગયા. પ્રજાસત્તાક પર્વ પર નિમિત ની વરસીદાન યાત્રાનું આયોજન કરાયું હતું. આ દીક્ષા સમારોહ વેસુ સ્થિત રઘુવીર સિલ્વર સ્ટોન, શ્યામ પેલેસ ખાતે યોજાયો હતો. તેઓ રાષ્ટ્રસંત પદ્મસાગર સુરીશ્વર મહારાજ ના શિષ્યરત્ન આચાર્ય વિમલસાગર સૂરિજી ના શિષ્ય બન્યા હતા.નિમિત ધોરણ-11નો અભ્યાસ પૂર્ણ કરી ધોરણ 12માં આવ્યો હતો પરંતુ તેના મનમાં સંસારની મોહમાયા થી ઉપર ઉઠીને સંયમના માર્ગે આગળ વધવાના વિચારો આવવા લાગ્યા હતા. નિમિતે પોતાના ગુરુ આચાર્ય વિમલસાગર સૂરિશ્વરજી મહારાજની સાથે બે વર્ષ પહેલા ભટાર ખાતે ચાતુર્માસ દરમિયાન ઘણી જગ્યાએ વિહાર કર્યો હતો અને પછી સંયમનો માર્ગ અપનાવવાનો દ્રઢ સંકલ્પ કરી લીધો.
દીક્ષા અંગીકાર કરી નિમિતથી મુમુક્ષુ નિગ્રંથ વિમલસાગર બનવા પહેલા તેઓએ જણાવ્યું હતું કે તેઓ જન માણસના કલ્યાણ માટે આ સંસારને ઠોકર મારીને જૈન સાધુ બનવા જઈ રહ્યા છે. રાષ્ટ્રસંત પદ્મસાગર સૂરિજીના શિષ્યરત્ન આચાર્ય વિમલસાગર સૂરિજી ના બતાવેલ ચિહ્નો ઉપર ચાલશે. સાંસારિક જીવન નશ્વર છે અને તેનાથી મનુષ્ય જીવન માત્ર ભૌતિક આનંદ મેળવી શકે છે અને તે પણ એક નિશ્ચિત સમય સુધી મનુષ્ય પાસે હોય છે.