તાપી કિનારે બનાવેલા તળાવ ધોવાઈ જતાં ગણેશ વિસર્જનની કામગીરી ડક્કા ઓવાર પર નહીં થાયઃ ગત વર્ષે 4000 પ્રતિમા આવી હતી
સુરતની તાપી નદીમાં ગણેશ વિર્સજન માટે પ્રતિબંધ હોવાથી પાલિકાએ 21 કૃત્રિમ તળાવ બનાવ્યા હતા પરંતુ ઉકાઈ ડેમમાંથી છોડવામાં આવેલા પાણીના કારણે ડક્કા ઓવારા પરના બે તળાવ ધોવાઈ ગયાં છે.
ગણેશ વિસર્જનના એક દિવસ પહલા ડક્કા ઓવારા પરના 12 લાખ રૂપિયાન ખર્ચે બનાવેલા બન્ને તળાવ ધોવાઈ જતાં આવતીકાલે આ બે તળાવ પર વિસર્જનની કામગીરી ન થાય તે નક્કી થઈ ગયું છે. ગત વર્ષે ડક્કા ઓવાર પર બનેલા બે તળાવમાં 4240 શ્રીજીની પ્રતિમાનું વિસર્જન થયું હતું તેના માટે મ્યુનિ. તંત્રએ પોલીસ સાથે મળીને નવું આયોજન કરવું પડશે.
ગત વર્ષથી સુરતની તાપી નદીમાં ગણેશ વિસર્જન પર પ્રતિબંધ મુકાયા બાદ મ્યુનિ. તંત્રે શહેરની જુદી જુીદ જગ્યાએ 21 કૃત્રિમ તળાવ બનાવ્યા હતા તે તળાવમાં 60 હજારથી વધુ શ્રીજીની પ્રતિમાનું વિસર્જન કરવામા આવ્યું હતું. આ વિસર્જન પ્રક્રિયા બાદ દરિયામાં વિસર્જન કરવામાં આવ્યું હતું. આ વર્ષે પણ મ્યુનિ. તંત્રએ શહેરમાં જુદી જુદી જગ્યાએ 21 કૃત્રિમ તળાવ બનાવ્યા હતા જેમાંથી બે તળાવ તાપી નદી કિનારે ડક્કા ઓવારા પર બનાવ્યા હતા.
ઉપરવાસમાં પડેલા વરસાદના કારણે ડેમની સપાટી રૃલ લવલ સુધી પહોચી જતાં ડેમમાંથી સતત પાણી છોડવામાં આવી રહ્યું છે. જેના કારણે તાપી નદીના કિનારે ડક્કા આવેારા પર 12 લાખ રૃપિયાના ખર્ચે બનાવેલા બન્ને તળાવ ધોવાઈ ગયાં છે. જેના કારણે આવતીકાલે આ બન્ને તળાવમાં ગણેશ વિસર્જનની કામગીરી નહીં થાય તે નક્કી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, ગત વર્ષે ડક્કા આવેરા પર બનેલા બે તલાવમાં 4220 પ્રતિમાનું વિસર્જન થયું હતું. આ વર્ષે તેના કરતાં વધુ પ્રતિમા વિસર્જન માટે આવે તેવી શક્યતા છે. ડકકા ઓવાર પર મુર્તિ કલેક્શન સેન્ટર બનાવી હજીરા વિસર્જન કરાશે.
ઉકાઈ ડેમમાં તાપી નદીમાંથી છોડાયેલા પાણીના કારણે ડક્કા આવારા પર મ્યુનિ. તંત્રે બનાવેલા બે કૃત્રિમ તળાવ ધોવાઈ જતાં હવે આવતીકાલે વિસર્જનની કામગીરી આ તળાવમાં થશે નહીં તે નક્કી થઈ ગયું છે. મ્યુનિ. તંત્ર હજી પણ આ તળાવની કામગીરી થાય તેવું આયોજન કરી રહી છે પરંતુ શક્યતા નહીવત છે.
ગત વર્ષે આ બે તળાવમાં ચાર હજાર જેટલી પ્રતિમાનું વિસર્જન કરવામાં આવ્યું હતું. મ્યુનિ. તંત્રએ વિસર્જન માટે કૃત્રિમ તળાવની જાહેરાત કરી હોવાથી લોકો વિસર્જન માટે અહી આવશે તે માટે મ્યુનિ. તંત્રે આ તળાવમાં વિસર્જના બદલે દશામાની પ્રતિમાના વિસર્જનમાં જે રીતે પ્રતિમાનું કલેક્શન કરીને પછી દરિયામાં વિસર્જન કરવામા આવ્યું હતું. તેવી જ રીતે આવતીકાલે ડક્કા ઓવારાના કૃત્રિમ તળાવમાં જે પ્રતિમા વિસર્જન માટે આવશે તેને લઈ લેવામાં આવશે અને ત્યાર બાદ ભેગી થયેલી પ્રતિમાને હજીરાના દરિયા ખાતે વિસર્જન કરવામાં આવશે તેવું આયોજન કરાયું છે.