સૌરાષ્ટ્ર નો સુરેન્દ્રનગર જિલ્લો આમતો સૂકો ગણવામાં આવતો હતો અને માત્ર ચોમાસા દરમ્યાન વરસાદી પાણી આધારિત ખેતી થતી હતી અને જે વર્ષે વરસાદ ન પડે ત્યારે દુષ્કાળ ગણાતો અને અનેક પરિવારો શહેર માં જતા રહેતા અને નાની મોટી નોકરી કરી
વર્ષ પૂરું કરતા હતા પણ નર્મદા ના નીર આવતા ખાળા તળ વાળી આ જમીન માં હવે કપાસ,જુવાર ની મુખ્ય ખેતી ના બદલે અન્ય પાકો તરફ ખેડૂતો વળતા બે પાંદડે થયા છે અને હવે તો શેરડી નો પાક પણ લહેરાતો જોવા મળી રહ્યો છે.
જિલ્લાના ખોલડિયાદ, ટીંબા, બાળા અને રામપરા સહિતનાં ગામોની જમીનમાં શેરડીનો પાક લહેરાઇ રહ્યો છે, જેમાં સુરેન્દ્રનગરના ખોલડિયાદ ગામના ખેડૂતે 9 વીઘા જમીનમાં શેરડી ના પાક માં વર્ષે 4 લાખની આવક મેળવી છે.
સુરેન્દ્રનગર જિલ્લામાં પાણીની અછતને લઇને આવળ, બાવળ અને બોરડીના પ્રદેશ તરીકે ઓળખાતો હતો. એટલે કે, સુકા પ્રદેશમાં થતી કાંટાળી વનસ્પતિઓના પ્રદેશ તરીકે ઓળખાતો હતો. તેમા પણ સૂકાભઠ્ઠ મલક તરીકે પ્રચલિત ઝાલાવાડ પથંકમાં હવે નર્મદાના નીર આવતા જિલ્લા માં હવે ખેડૂતો વાવેતર બદલી જીરું,ઘઉં,શેરડી જેવા પાકો તરફ વળ્યા છે. અગાઉ સુરેન્દ્રનગર જિલ્લામાં મોટા ભાગે કપાસ, ચણા,જુવાર
જેવા પરંપરાગત પાકનું જ વાવેતર કરવામાં આવતું હતુ પરંતુ હવે શેરડી જેવા પાક લેતા થયા છે.
સુરેન્દ્રનગર જિલ્લાના ખોલડિયાદ, ટીંબા, રામપરા અને બાળા ગામના ખેડૂતોએ અંદાજે કુલ 100 વીઘા કરતાં વધુ જમીનમાં શેરડીનું વાવેતર કર્યું છે.
આમ ઝાલાવાડ હવે હરિયાળો બની રહ્યો છે.
ભાલાળા ગામ માં પણ જીરું સહિત ના પાકો લેતા ખેડૂતો સમૃદ્ધ બન્યા છે ગામ માં વિકાસ થયો છે,ભાલાળા માં પણ ખેડૂતો શેરડી ના પાક લેવા માટે ખેડૂતો ને પ્રોત્સાહિત કરવામા આવશે જેનાથી તેઓ અન્ય નવા પાક લેવાનુ વિચારે તેવા પ્રયાસો થશે.
તાલુકા પંચાયત ના સદસ્ય અને ગામના અગ્રણી અજય સિંહ રાણા એ જણાવ્યું કે ભાલાળા ગામ માં વિકાસ થયો છે અને સ્ટ્રીટ લાઈટ,પેવર બ્લોક,ગટર વ્યવસ્થા,24 કલાક પાણી,CC TV, સહિત ની સુવિધાઓ
મળી રહી છે અને હાલ તેઓ ના ધર્મપત્નિ રાણા હીનાબા સરપંચપદે ચૂંટાઈ આવતા ગામ માં વધુ વિકાસ કરવા કોલ આપ્યો છે.
ગામ માં પ્રાથમિક શિક્ષણ થી રોડ,પાણી,ગટર થી માંડી ખેડૂતો ને વિશેષ લાભ મળે તેવા પ્રયાસો કરાઈ રહયા છે અને સરકારી યોજનાઓ નો લાભ જનતા ને આપવા કટિબદ્ધતા તેઓ એ દર્શાવી હતી.