અમદાવાદ: વર્ષ વિક્રમ સંવત ર૦૭૩નાં વર્ષમાં કુલ ચાર સૂર્યગ્રહણ અને ચાર ચંદ્ર ગ્રહણનો યોગ સર્જાશે. નવા વર્ષની શરૂઆતે ફેબ્રુઆરી અને ત્યારબાદ ઓગસ્ટમાં ચાર પૈકીના બે સૂર્યગ્રહણ ભારતમાં જોવા મળશે નહીં. કુંભ અને મકર રાશિમાં ચંદ્રગ્રહણ અને કુંભ તેમજ સિંહ રાશિમાં સૂર્યગ્રહણનો યોગ સર્જાશે.
હિંદુ શાસ્ત્રોની માન્યતા અનુસાર વિશ્વભરમાં સમયાંતરે બનતી ખગોળિય ઘટનાઓની જુદી જુદી રાશિ ધરાવતા લોકો પર સારી નરસી અસરો થાય છે. જ્યારે આ જ બાબત ખગોળિય ઘટના સંદર્ભે વૈજ્ઞાનિકો માટે સંશોધનનો વિષય બને છે. ૩૧, ઓકટોબરે શરૂ થયેલું હિંદુઓનું નવું વર્ષ ર૦૭૩ દરમ્યાન કુલ ૪ ગ્રહણ થશે તેમાં બે સૂર્યગ્રહણ અને બે ચંદ્રગ્રહણનો સમાવેશ થાય છે. બે ચંદ્ર ગ્રહણ ભારતમાં દેખાશે પણ બે સૂર્યગ્રહણ ભારતમાં દેખાશે નહીં. ૧૦-૧૧ ફેબ્રુઆરી વર્ષ ર૦૧૭ના શુક્રવારની રાત્રે કઇ રાશિમાં ચંદ્ર ગ્રહણ થશે ૧૧ તારીખે વહેલી સવારે ૪-૪૪થી ૮-ર૩ વાગ્યા સુધી રહેશે. ભારત સિવાય યુરોપ આફ્રિકા અને જાપાનને બાદ કરતા એશિયા ખંડ સહિત અમેરિકામાં પણ દેખાશે. એ દિવસે પૂનમનો ક્ષય છે. ત્યારબાદ ૧પ દિવસ પછી ર૬ ફેબ્રુઆરીએ સવારે કુંભ રાશિમાં સૂર્યગ્રહણ થશે.
જે ભારતમાં દેખાવાનું નહીં હોય નિયમો પાળવાની જરૂર રહેશે નહીં. ૭ ઓગસ્ટ ર૦૧૭માં મકર રાશિમાં ખંડગ્રાસ ચંદ્રગ્રહણ થશે જે ભારતમાં દેખાશે જે રાત્રે ૧૦-૪રથી ૧ર.૪૯ સુધી રહેશે ત્યાર બાદ ૧પ જ દિવસમાં ર૧ ઓગસ્ટે સોમવારે સિંહ રાશિમાં ખગ્રાસ સૂર્યગ્રહણ થશે અને સૂર્યગ્રહણ ભારતમાં નહીં દેખાવાના કારણે નુકસાનકારક રહેશે નહીં. પરંતુ જયોતિષીઓના મતે જ્યાં આ ગ્રહણ દેખાશે ત્યાં મોટી હોનારત, ભૂકંપ સુનામી સહિત જાનહાનિ થવાના યોગો બની શકે છે