જમ્મુ ડિવિઝનના પુંછમાં આતંકવાદી હુમલાના કાવતરાનો ખુલાસો થયો છે. આ હુમલામાં 5 આતંકવાદીઓ સામેલ હતા, જેમાં ત્રણ વિદેશી હતા. G-20 મીટિંગના હુમલાનો હેતુ જમ્મુ-કાશ્મીરના પુંછ જિલ્લામાં ગુરુવારે થયેલા આતંકી હુમલાના મામલામાં મોટો ખુલાસો થયો છે. ગુપ્તચર સૂત્રોનું કહેવું છે કે આ હુમલાની યોજના પાંચ આતંકવાદીઓ દ્વારા બનાવવામાં આવી હતી.
આ હુમલામાં રાષ્ટ્રીય રાઈફલ્સના પાંચ જવાન શહીદ થયા હતા, જ્યારે એક ઘાયલ થયો હતો. હવાલદાર મનદીપ સિંહ, કોન્સ્ટેબલ હરકિશન સિંહ, લાન્સ નાઈક કુલવાન…