અમદાવાદના નરોડા ખાતે પોલીસ દ્વારા બાતમીના આધારે પેટ્રોલિંગ દરમિયાન ઔડાના મકાન ખાતે છોટાઉદેપુર જીલ્લાના પાનવાડ પોલીસ સ્ટેશનના છેલ્લા દોઢ વર્ષથી પ્રોહીબીશનના ગુનામાં નાસતા ફરતા આરોપીને નરોડા સર્વેલન્સ સ્કવોડ ટીમ દ્વારા બાતમીના આધારે ઝડપી પાડવામાં આવ્યો હતો.
અમદાવાદ શહેરમાં મિલકત સબંધી ગુના બનતા અટકાવવા માટે પોલીસ કમિશનરની સુચના આધારે તમામ પોલીસ સ્ટેશનને પેટ્રોલિંગ કરી રહ્યા છે. આ દરમિયાન નરોડા ખાતે પો.સ.ઈ કે. જી ચોધરીના માર્ગદર્શન અનુસાર નરોડા સર્વેલન્સ સ્કવોડ ટીમ પેટ્રોલિંગ કરી રહી હતી તે દરમિયાન છોટાઉદેપુર જીલ્લાના પાનવાડ પોલીસ સ્ટેશનના છેલ્લા દોઢ વર્ષથી પ્રોહીબીશનના ગુનામાં નાસતા ફરતા આરોપી વિષ્ણુભાઈ પરમારને નરોડા ઔડાના મકાન ગણપતિ મંદિરની પાછળથી સર્વેલન્સ સ્કવોડ ટીમ દ્વારા આરોપીને ઝડપી પાડ્યો હતો અને આગળની કાર્યવહી હાથ ધરી હતી.