ગાંધીનગર– ભાવનગરમાં નવમી મે થી સારવાર હેઠળ રહેલા કોરોનાના 11 દર્દીઓએ એકસાથે આ રોગને મ્હાત આપી છે. તેમને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ આપવામાં આવ્યું છે. આ તમામ દર્દીઓને શહેરની સર તખ્તસિંહજી જનરલ હોસ્પિટલ ખાતે આઇસોલેશન વોર્ડમા દાખલ કરવામા આવ્યા હતા.
ભારત સરકારની નવી માર્ગદર્શિકા પ્રમાણે આ તમામ દર્દીઓનુ આરોગ્ય તપાસતા અને તેઓ માર્ગદર્શિકાના માપદંડો પ્રમાણે સ્વસ્થ જણાતા આ તમામ દર્દીઓને હોમ આઈસોલેશનમાં રહેવા માટે હોસ્પિટમાંથી રજા આપવામા આવી હતી.
હોસ્પિટલમાથી રજા મેળવનારા દર્દીઓને છેલ્લા ત્રણ દિવસથી તાવ આવ્યો નથી તેમજ તેઓ એસિમ્ટોમેટીક હતા અને છેલ્લા 10 દિવસથી હોસ્પિટલમા દાખલ થયાં હતા. સરકાર દ્વારા આ તમામ દર્દીઓને વિનામૂલ્યે N-95 માસ્ક, બે ત્રિપલ લેયર માસ્ક, એક હેન્ડ્ગ્લોવ્ઝ તેમજ એક હેન્ડ સેનિટાઈઝરની બોટલ આપવામા આવી હતી.
આ તમામ દર્દીઓએ હોસ્પિટલામાથી ડિસ્ચાર્જ થયા બાદ સાત દિવસ સુધી ફરજીયાત હોમ આઈસોલેશનમા રહેવું પડશે. આ સાથે ભાવનગર જિલ્લાનો કોરોના પોઝિટિવ દર્દીઓનો રિકવરી રેટ 76.57 ટકા થવા પામ્યો છે. ભાવનગર જિલ્લામા નોંધાયેલા 111 કેસ પૈકી હાલ 19 દર્દીઓ સારવાર હેઠળ છે. જ્યારે અત્યાર સુધીમા કુલ 84 દર્દીઓને ડિસ્ચાર્જ કરવામા આવ્યા છે તેમજ 8 દર્દીઓનુ અવસાન થયું છે.

National

Margi Desai
Satyaday, Gujarat’s largest language media group, brings to you the most comprehensive Gujarati News Website. The app covers Latest Gujarati news from all around the world giving you a complete up-to-date coverage on news anytime and anywhere.