નવી દિલ્હીઃ પાંચ વખતની વર્લ્ડ ચેમ્પિયન એમસી મેરિકોમે બોક્સિંગના નેશનલ ઓર્બ્ઝવર પદેથી રાજીનામું આપી દીધું છે. કારણ કે રમતમંત્રી રાજ્યવર્ધન સિંહ રાઠોડે સ્પષ્ટ કર્યું છે કે કોઈપણ સક્રિય ખેલાડી નેશનલ ઓર્બ્ઝવર રહી શકે નહીં. ગત મહિને એશિયન ચેમ્પિયનશિપમા પાંચમો ગોલ્ડ મેડલ જીતનાર મેરિકોમે જણાવ્યું હતું કે મેં દસ દિવસ પહેલા રમતમંત્રી સાથે વાત કરીને નેશનલ ઓર્બ્ઝવર પદેથી રાજીનામું આપી દીધું હતું. તત્કાલિન રમતમંત્રી વિજય ગોયલે માર્ચમાં 12 નેશનલ ઓર્બ્ઝવરની નિમણુક કરી હતી, જેમાં મેરિકોમ પણ હતી. યાદીમાં શૂટર અભિનવ બિંન્દ્રા, પહેલવાન સુશીલ કુમાર, બોક્સર અખિલ કુમાર પણ સામેલ હતા. સુશીલ અને મેરિકોમ હજુ પણ સક્રિય ખેલાડી છે.
