વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટી દ્વારા શરૂ પ્રથમ વર્ષ 2020-21 માટે શરૂ કરવામાં આવેલી પ્રવેશ પ્રક્રિયા લગભગ પૂર્ણતાના આરે છે. વિદ્યાર્થીઓ હાલ કોલેજ અને અભ્યાસક્રમની પસંદગી કરી રહ્યા છે, પરંતું પ્રવેશ સમિતિ દ્વારા આ વર્ષે પણ ગત વર્ષની કોલેજ અને અભ્યાસક્રમના કટ ઓફ માર્કસ જાહેર ન કરતા વિદ્યાર્થીઓ આડેધડ પ્રવેશ ફોર્મ ભરી રહ્યા છે. જેથી મોટા ભાગના વિદ્યાર્થીઓ ગેરમાર્ગે દોરાઈ રહ્યા છે. વિદ્યાર્થીઓને પ્રવેશ સમયે થઈ રહેલી સમસ્યા અંગે સેનેટ મેમ્બર કનુ ભરવાડ દ્વારા યુનિ. તંત્રને તાત્કાલિક ધોરણે કટ ઓફ માર્કસ જાહેર કરવા માટે રજૂઆત કરવામાં આવી છે.
વીર નર્મદ દક્ષિણ ગુદરાત યુનિ. દ્વારા શૈક્ષણિક વર્ષ 2020-21 માં પ્રથમ વર્ષ માટે પ્રવેશ પ્રક્રિયા 80 ટકા પૂર્ણતાના આરે છે. પરંતું પ્રવેશ સમિતિ દ્વારા ગત વર્ષ 2019-20 ના જે-તે કોલેજ અને જે-તે અભ્યાસક્રમના કટ ઓફ જાહેર કરાતા ન હોવાથી વિદ્યાર્થીઓ પોતાની અંગત માન્યતાના આધારે આડેધડ પ્રવેશ લઈ રહ્યા છે, જે અયોગ્ય છે. ગુજરાત રાજ્યની અન્ય તમામ કેન્દ્રિય પ્રવેશ સમિતિઓએ ગત વર્ષના કોલેજ અને અભ્યાસક્રમ પ્રમાણે કટ ઓફ જાહેર કર્યા છે. જ્યારે નર્મદ યુનિવર્સિ્િટી દ્વારા છેલ્લા 3 વર્ષથી પ્રવેશ સમિતિ દ્વારા કટ ઓફ માર્કસ જાહેર ન કરતા વિદ્યાર્થીઓ ગેર માર્ગે દોરાય છે. જેમાંતી અમુક કોલેજો પસંદ કરતા નથી અને અંતે નાપસંદ કલોજેમાં પ્રવેશ મેળવે છે અથવા પ્રવેશ છોડી દે છે. વિદ્યાર્થીઓ સાથે થઈ રહેલા આ અન્યાય માટે ફક્ત યુનિ. તંત્ર જવાબદાર છે. વિદ્યાર્થીઓનીા હીતને ધ્યાનમાં રાખીને અન્ય યુનિ. જેમ જ પ્રૅવેશ સમયે કટ ઓફ માર્કસ જાહેર કરવામાં આવે તે અંગે સેનેટ મેમ્બર કનુ ભરવાડ દ્વારા માંગ કરવામાં આવી છે.