1857નો સ્વંત્રતા સંગ્રામ
ઇ.સ. 1857ના સ્વતંત્રતા સંગ્રામ માટે લોકો જીભે એક એવી માન્યતા પ્રચલિત છે કે ગાય અને ડુક્કર ની ચરબી લગાવેલી કારતુસો 1857 ના સંગ્રામ માટે જવાબદાર હતી પરંતુ આ તો ફક્ત ચિનગારી હતી કે જેને ભારતીય નાગારીકો ના પેટમાં ઠરેલા જવાળામુખી ને ચેતવ્યો હતો. વિગ્રહના મુખ્ય કારણો માં લોર્ડ ડેલહાઉસી ની ખાલસા નીતિ, રાની લક્ષ્મીબાઈ તથા નાના સાહેબ પેશ્વા વગેરે ને થયેલ અન્યાય ના કારણે તેઓ પોતાની સત્તા પાછી મેળવવા મક્કમ હતા,અંગ્રેજોના ભારતમાં આગમન બાદ ખ્રિસ્તી ધર્મ પ્રચારકો ને અંગ્રેજ તંત્ર દ્વારા ખ્રિસ્તી ધર્મનો ફેલાવો કરવા માટે પ્રોત્સાહન મળતું હતું અને ભારતીય હિન્દૂ-મુસ્લિમ ધર્મી લોકો પ્રત્યે તિરસ્કાર ભર્યો વ્યવહાર કરવામાં આવતો હતો. જેના લીધે સામાન્ય ભારતીય નાગરિકોનો રોષ ચરમસીમાએ હતો. અમુક ભારતીય સુધારકો અને વિલિયમ બેન્ટિક જેવા સુધારાવાદી ગવર્નર જનરલ ના પ્રયાસો થી બાલ વિવાહ, સતીપ્રથા, દીકરી ને દૂધ પીતી કરવાનો રિવાજ જેવી ભારતીય કુપ્રથાઓ માંથી મુક્તિ મળતા અમુક રૂઢિચુસ્ત લોકોમાં પણ અસંતોષ પેદા થયો હતો. અંગ્રેજોના લશ્કર માં સામેલ ભારતીય જવાનો અને અંગ્રેજ જવાનો વચ્ચે ઘણો ભેદભાવ રાખવામાં આવતો હતો.ભારતીય જવાનોનો પગાર અંગ્રેજ જવાન કરતા ત્રીજા ભાગનો પગાર હતો. આ ઉપરાંત હિન્દી સૈન્ય જવાનોની બઢતી ની તકો પણ મર્યાદીત હોવાથી હિન્દી સૈનિકોમાં પણ અસંતોષ ભભૂક્યો હતો.
આ બધા કારણો ના લીધે બ્રિટિશ શાસન સામે વિદ્રોહ નો જવાળામુખી ભભૂકી ઉઠયો તેમાં માર્ચ 1857 ની 21 મી તારીખે મંગલપાંડે એ પેલી એનફીલ્ડ રાઇફલ ની કાર્ટુશ વાપરવાની મનાઈ કરીને એક અંગ્રેજ અધિકારીને ઘાયલ કર્યો જેના લીધે તેને મોતની સજા થઈ. આમ મંગલપાંડે 1857 ના સંગ્રામના સૌપ્રથમ શહીદ બન્યા.ત્યારબાદ મેરઠ છાવણીના સૈનિકો દ્વારા કારતુસોનો બહિષ્કાર કરવામાં આવ્યો અને વિપ્લવ ની સાર્વત્રીક શરુઆત થઇ.
અંતિમ મોગલ સમ્રાટ બહાદુરશાહ ઝફર ની લાખ અનિચ્છા છતાં વિપ્લવીઓ ના આગ્રહવશ તેમને દિલ્હીથી વિપ્લવ ની આગેવાની લીધી. આ ઉપરાંત ઝાંસીથી ગંગાધર રાવના પત્ની રાણી લક્ષ્મીબાઈ એ પોતાને થયેલ અન્યાય નો બદલો લેવા માટે વિપ્લવ ની આગેવાની લીધી. દત્તક પુત્ર હોવાના કારણે પોતાને પેશ્વાઇ ના મળતા કાનપુર ચાલ્યા ગયેલા નાના સાહેબ પેશ્વા એ પણ પેશ્વાઇ મેળવવા ખાતર કાનપુર થી સેનાપતિ તાત્યાટોપે સાથે સંઘર્ષમાં ઝંપલાવ્યું. આ ઉપરાત લખનઉ, જગદીશપૂર,અલ્લહાબાદ વગેરે રજવાડાઓ દ્વારા પણ અંગ્રેજોનો યથાશક્તિ પ્રતિકાર કરવામાં આવ્યો હતા.
ભારતીય ક્રાંતિકારીઓએ દેશ ભક્તિ કાજે લડાઇ તો શરૂ કરી દીધી પરંતુ ક્રાંતિકારીઓ પાસે સેનાપતિ અને સુયોજિત રણનીતિ ના અભાવે ફક્ત પોતપોતાના વિસ્તારો પુરતી લડત આપવામાં વ્યસ્ત રહેવાથી તેઓ ફવ્યા નહી. આ પ્રમુખ સંકલનનો અભાવ ઉપરાંત ગુરખાઓ, સિંધિયા, હૉલકર, કાશ્મીર વગેરે રાજ્યો અંગીજો ની પડખે રહીને લડ્યા હતા. શિક્ષીત મધ્યમ વર્ગની પ્રજાએ લડાઈ પ્રત્યે મોટે ભાગે ઉદાસીનતા સેવી હતી. ભારતીય વિપ્લવી સૈનિકો પાસે શસ્ત્રો નો અભાવ રહ્યો હતો.જેની સામે અંગ્રેજો પાસે આધૂનિક શસ્ત્રો નો તોટો ન હતો.આ બધા કારણોસર આશરે એકાદ વર્ષ ના સંઘર્ષ બાદ સંગ્રામ નું જોર ધીમે ધીમે ઓસરવા લાગ્યું.
દરેક યુદ્ધના અંતિમ દોર માં અંગ્રેજો દ્વારા થતી કત્લેઆમ ચંગીન ખાન અને હુણ સરદાર અતિલા ને પણ શરમાવે તેવી હતી. શરણે આવતા સૈનિકોને તોપના મોઢે બાંધીને ફૂંકી દેવાતા હતા. એમ કહેવાય છે કે દિલ્હીમાં તે વખત માં એક પણ વૃક્ષ એવું નહોતું કે જેની ડાળે મૃતદેહો ના લટકતાં હોય. આવીજ ક્રુરતા અંગ્રેજો એ બહાદુરશાહ ઝફર સાથે કરી તેઓને નજરકેદ કરીને બર્માના રંગુન મોકલી દીધા અને તેના ઘણા પુત્રો તથા બાલપૌત્રોને બંદૂક વડે નગર વચ્ચોવચ ઠાર કર્યા હતા. આ અમાનુષી કત્લેઆમ નો મૂળ હેતુ એવો હતો કે આમ પ્રજાજનો આ બોધપાઠ હંમેશા યાદ રાખે અને આવનારા વર્ષો માં કંપની શાસન સામે હથીયાર ઉઠાવવાની ભૂલ ન કરે.
1857 ના વિપ્લવ બાદ ભારતીય શાસન માં બદલવાની પણ શરૂઆત થઈ. અંગ્રેજોને લાગ્યું કે ડરાવી ધમકાવીને ભારતીયોને લાંબો સમય ગુલામ નહીં રાખી શકીએ માટે તેમણે થોડા બંધારણીય અને પ્રમાણ માં ઉદાર શાસન ની શરૂઆત કરી અને ઇસ્ટ ઈંડિયા કંપની ના બદલે બ્રિટિશ તાજનું શાસન શરૂ થયું.