આજથી આવકવેરા સહિત ઘણા ફેરફારો થઇ રહ્યા છે પરીણામે જનતાના ખિસ્સા પર તેની સીધી અસર પડશે.
નવા નાણાકીય વર્ષની શરૂઆત સાથે, 1 એપ્રિલ, 2023 એટલે કે શનિવારથી આવકવેરા સહિત ઘણા મહત્વપૂર્ણ ફેરફારો થઈ રહ્યા છે. આની સીધી અસર તમારા ખિસ્સા પર પડશે.
નવી ટેક્સ વ્યવસ્થા હેઠળ, જો કોઈ વ્યક્તિની વાર્ષિક આવક સાત લાખ રૂપિયા છે, તો તેણે કોઈ ટેક્સ ચૂકવવો પડશે નહીં. જો તમે રિટર્ન ફાઇલ કરતી વખતે વિકલ્પ પસંદ ન કરો, તો પછી તમે આપમેળે નવી કર વ્યવસ્થામાં આવી જશો.
ઉત્સર્જનના કડક ધોરણોના અમલીકરણને કારણે, મારુતિ સુઝુકી, ટાટા મોટર્સ જેવી ઓટોમોબાઈલ કંપનીઓ તેમના વિવિધ મોડલની કિંમતોમાં વધારો કરશે.
વિદેશ યાત્રા માટે ક્રેડિટ કાર્ડની ચૂકવણીને સ્ત્રોત પર કર વસૂલાત હેઠળ લાવવામાં આવશે.