વડોદરામાં મહોરમ પર્વ નિમિત્તે આજે શાંતિપૂર્ણ માહોલમાં તાજિયા વિસર્જન થાય તે માટે 2400થી વધુ પોલીસ જવાનો તૈનાત કરાયા છે.
શહેર પોલીસ કમિશનર દ્વારા એસઆરપીની વધારાની ચાર કંપની અને રેપીડેકશન ફોર્સની એક ટુકડી મંગાવી ખાસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.
આજે શનિવારે મહોરમ હોવાથી પોલીસે સંવેદનશીલ વિસ્તોરમાં પોલીસ કર્મચારીનો ચાંપતો પોલીસ બંદોબસ્ત ગોઠવી દીધો છે.
તહેવાર દરમિયાન શહેરની શાંતિ જળવાઈ રહે તે માટે પોલીસે
ફતેપુરા, પાણીગેટ કારેલીબાગ સહિતના વિસ્તારોથી સરસીયા, બોરીયા તળાવ સહિત જ્યાં સુધી તાજીયાનું વિસર્જન થાય તે તમામ રૂટ પર પોલીસ પોઈન્ટ, ધાબા પોઈન્ટ ઉભા કરી બંદોબસ્ત ગોઠવાયો છે.
ક્રાઈમ બ્રાન્ચ અને એસઓજી દ્વારા ડ્રોનનો ઉપયોગ કરીને અતિસંવેદનશીલ વિસ્તારોનું નિરક્ષણ કરાશે,
આ સાથે જ સોશિયલ મીડિયા ઉપર સાયબર ક્રાઈમ દ્વારા નજર રખાશે.