સામાન્ય રીતે જવા જઇએ તો એક ચા વાળો કરોડોનુ સામ્રાજ્ય ઊભું કરે તે વાત ગળે ઉતરે તેમ નથી પરંતુ તેવુ બન્યું છે, સુરત રેલ્વે પોલીસ દ્વારા એન.ડી.પી.એશ એક્ટ હેઠળ રૂ. 51 લાખ ઉપરાંતની રકમના ગાંજાની હેરાફેરીના ત્રણ ગુનાઓ નોંધાયા હતા. જેના પરિણામે પોલીસે રાજ્ય વ્યાપી ચાલતા ગાંજાના ધંધાના મુખ્ય સૂત્રધારને શોધી કાઢવા તજવીજ હાથ ધરી હતી. જેમાં છેલ્લા ચાર વર્ષથી વોન્ટેડ નકસલી વિસ્તારમાંથી ગાંજાની હેરાફેરી કરી ગુજરાત ભરના શહેરોમાં સપ્લાય કરનાર શખ્સને રેલ્વે પોલીસે ઝડપી પાડ્યો છે. જેની પ્રાથમિક પુછપરછ કરતા તે દર મહિને 1000થી 1200 કિલો ગ્રામ ગાંજો વડોદરા, અમદવાદ જેવા અનેક મોટા શહેરોમાં કેરીયરો મારફતે મોકલી વર્ષે 6 કરોડથી વધુની આવક કમાતો હતો. ઓળીસાના નકસલી જીલ્લા એવા ગંજામ ખાતે રહેતો વાલ્મીકી ત્રીનાથ છેલ્લા ઘણા વર્ષોથી સુરતમાં સ્થાયાયી થયો છે. જ્યારે તે સુરત શહેરમાં આવ્યો ત્યારે વાલ્મીકી એક ચાની લારી ધરાવતો અને સામાન્ય જીવન જીવતો પરંતુ રૂપિયા કામાવાની લાલચમાં આવી જઇ વાલ્મીકી રાજ્યભરમાં ગાંજોનો વેપલો ચલાવાનો માસ્ટર માઇન્ડ બની ગયો.
જેમાં તે ઓળીસાનો ગંજામ જીલ્લો જે નકસલી વિસ્તાર કહેવાય છે. તેવા નકસલી વિસ્તારમાંથી વાલ્મીકી પોતે દર મહિને હજારો કિલો ગ્રામ ગાંજો લાવતો અને મંગાવતો હતો. રાજ્યના વિવિધ શહેરોમાં ગાંજો સપલાય કરવા માટે તેને નંદા અને ખડાદ નામના બે કેરીયર પણ રાખ્યા હતા. જોકે વર્ષ 2016માં સુરત રેલ્વે સ્ટેશન પાસેથી રૂ. 43,96,200ની કિંમતનો 730.200 કિલો ગ્રામ સાથે સુરજ ઉર્ફે સોજન બુધ્ધિરામની ધરપકડ કરી હતી. ત્યારબાદ અજમેર એક્સપ્રેસના જનરલ કોચમાંથી રેલ્વે પોલીસે 96.400 કિલો ગ્રામ ગાંજા સાથે ત્રણ શખ્સોની ધરપકડ કરી હતી. તેમજ પુરી અમદાવાદ એક્સપ્રેસ ટ્રેનમાંથી 33. 80 કિલો ગ્રામ ગાંજા સાથે બે શખ્સોની ધરપકડ કરી હતી. ઝડપાયેલા તમામની પોલીસે પુછપરછ કરતા ઓળીસાના વાલમીકી શેઠ્ઠીનો જ માલ હોવાની વિગતો બહાર આવી હતી. વાલ્મીકીએ રાજ્યભરમાં ગાંજો સપલાય કરવા માટે નંદા અને ખડદને કેરીયર તરીકે રાખ્યા હતા. જેમના મારફતે રાજ્યના વિવિધ જેમાં સુરત, ભરૂચ, નવસારી, વડોદરા, અમરેલી, અમદાવાદ, કલોલ, જબનાગઢ જેવા જુદા જુદા શહેરોના ગાંજાના ડીસ્ટ્રીબ્યુટરોને 1 કિલો ગ્રામના રૂ 5 હજારની રકમે વેંચતો, જેમાં વાલ્મીકી દર મહિને આ રીતે 1000થી 1200 કિલો ગ્રામ ગાંજો રાજ્યના વિવિધ શહેરોમાં મોકલતો અને અંદાજે દર વર્ષે રૂ. 6 કરોડથી વધુની કમાણી કરતો. જેનાથી તેને કરોડોનુ સામ્રાજ્ય ઊભું કર્યું હોય તેવું માનવામાં આવી રહ્યું છે અને આટલુ મોટું રેકેટ ચલાવા માટે વાલ્મીકીના નકસલીઓ સાથે પણ સંબંધો હોવાનું માનવામાં આવી રહ્યું છે. જેથી પોલીસે વાલ્મીકી શેઠ્ઠીના 7 દિવસના રિમાન્ડ મેળવી પુછપરછ કરતા વડોદરામાં તે એક મહિના અને જી.આઇ.ડી.સીના લંબુ ઉર્ફે પાનવાળાને ગાંજો મોકલતો હોવાની બહાર આવી છે. જેથી પોલીસે ઉપરોક્ત તમામ મુદ્દાઓ પર તપાસ કરવા અંગે કાર્યવાહી હાથ ધરી છે.