પાવાગઢ દુર્ઘટનામાં ઇજાગ્રસ્તો અને મૃતક મહિલાની ઓળખ થઈ ગઈ છે અને ઇજાગ્રસ્તોને હાલોલ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે પ્રાથમિક સારવાર અપાયા બાદ વધુ સારવાર માટે વડોદરા સયાજી હોસ્પિટલમાં ખસેડાયા છે.
પાવાગઢમાં ગાજવીજ વરસાદ પડતાં વિશ્રામ સ્થળનો ઘુમ્મટ તૂટતા વરસાદથી બચવા ઉભેલા યાત્રિકો પર કોંક્રીટનો સ્લેબ પડતા 3 મહિલા, 3 પુરુષો અને બે બાળકો ઇજાગ્રસ્ત થયાં હતાં અને તે પૈકી
વડોદરાની ગંગાબેન મહેશભાઈ દેવીપૂજક (40 વર્ષ) નામના મહિલાનું મોત થયું હતું
બાકીના તમામ આઠ ઈજાગ્રસ્તોને વધુ સારવાર અર્થે વડોદરાની સયાજી હોસ્પિટલમાં રિફર કરાયા છે.
-ઈજાગ્રસ્તોની યાદી આ મુજબ છે
(1) મીનાબેન ખુમાનસિંહ પલાસ (21 વર્ષ)
(2) રાજવંશ મહેશભાઈ દેવીપૂજક (21 વર્ષ)
(3) સુમિત્રાબેન વેલસિંહભાઇ રાઠવા (18 વર્ષ)
(4) વિજયભાઈ ભઈલાલભાઈ દેવીપૂજક (25 વર્ષ)
(5) મારી બેન વિજયભાઈ દેવીપૂજક (5 વર્ષ)
(6) દીપકભાઈ નટવરભાઈ દેવીપૂજક (28 વર્ષ)
(7) સોનલબેન વિજયભાઈ દેવીપૂજક (30 વર્ષ)
(8) દક્ષ વિજયભાઈ દેવીપૂજક (2 વર્ષ)
આ ઘટનામાં ગંગાબેન મહેશભાઈ દેવીપૂજક (40 વર્ષ)નું કરૂણ મોત થયુ છે.