વડોદરાના નિઝામપુરા ખાતે આવેલા ગેલાણી પેટ્રોલ પંપ ઉપર હવે રીતસર 2000 ની નોટ નહિ સ્વીકારવામાં આવે તેવી નોટિસ મારી દેવામાં આવી છે.
વડોદરા શહેરના નિઝામપુરામાં ગેલાણી પેટ્રોલ પંપના સંચાલકો દ્વારા 2000 ની નોટ નહિ સ્વીકારવામાં આવે તેવી નોટિસ મારી દેવામાં આવતા 2000ની નોટ લઈ પેટ્રોલ-ડીઝલ પુરાવવા આવેલા ગ્રાહકો પરત ફર્યા હતા.
સરકાર અને RBI દ્વારા રૂ. 2000 ની નોટ પરત ખેંચવાના નિર્ણયને લઈ લોકો અને ધંધાર્થીઓને હાલાકી પડતી જોવા મળી રહી છે અને આ નોટ બંધ કરવામાં આવનાર છે તેવી જાહેરાત બાદ લોકો જવેલર્સ અને પેટ્રોલ પંપ ઉપર ઉમટ્યા હતા પણ હવે ધીરે ધીરે અહીં પણ સ્વીકારવાનું બંધ થતાં લોકો ટાઈમ કાઢી બેંકમાં વટાવવા જવાનો વારો આવ્યો છે.