વડોદરાના ફતેગંજમાં ગેરકાયદે પાંચ માળની બિલ્ડીંગ ઉભી થઇ છે જે તંત્ર વાહકોને દેખાતી નથી અને આ રીતે ગેરકાયદે ઉભું થઈ ગયેલું બિલ્ડીંગ મનપાને કેમ ન દેખાયું તે વાત અનેક સવાલ ઉભા કરે છે.
વડોદરામાં ગેર કાયદેસર બાંધકામો તોડવા પહોંચી જતા મનપાના સબંધિત વિભાગના અધિકારીઓને ફતેગંજ સદર બજારમાં આખેઆખી પાંચ માળની ઇમારતનું ગેરકાયદેસર બાંધકામ ઉભું થઈ ગયું ત્યાં સુધી કેમ ઉંઘતા રહ્યા તે વાત ભારે ચર્ચાનો વિષય બની છે અને સત્યડેમાં અહેવાલો આવ્યા બાળપણ હજુસુધી
આ ગેરકાયદે ઈમારત તોડવા કોઈ કાર્યવાહી થઈ નથી.
આ બિલ્ડીંગમાં બિલ્ડરે માર્જિન પણ છોડયુ નથી તે વાત દિવા જેવી સ્પષ્ટ હોવાછતાં તંત્ર દ્વારા કોઈ પગલાં ભરવામાં આવ્યા નથી.
પાંચ માળનું આ ગેરકાયદેસર બાંધકામ ફતેગંજ વિસ્તારમાં છે અને
વહીવટી તંત્ર બીજાના ગેરકાયદે બાંધકામો તોડે છે તો પછી નિયમ વિરુદ્ધ ઉભા થઇ ગયેલા આ બાંધકામ
તોડવા ક્યારે પગલાં ભરશે?તે વાત હવે મુદ્દો બની છે.
વડોદરાશહેરમાં ફતેગંજમાં ઉભું થઈ ગયેલું આ ગેરકાયદેસર બાંધકામ મામલે મનપાના સબંધિત વિભાગના અધિકારીઓ સામે પગલાં નહિ ભરવા મામલે આંગળીઓ ઉઠી રહી છે ત્યારે તંત્ર કેવા પગલાં ભરે છે?તે જોવું રહ્યું.