વડોદરામાં સામૂહિક આત્મહત્યાની ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર મચી જવા પામી છે. આ ઘટના વડોદરાના કાછિયાપોળ બાબાજીપુરા રાવપુરા વિસ્તારમાં બની છે.
જ્યાં સિક્યુરિટીમાં કામ કરતા મુકેશ ભાઈએ અને પરિવારે આર્થિક સંક્રમણના કારણે અને મકાન નું ભાડું નહિ ભરાતા આજે મકાન ખાલી કરવાનું કહેતા પરિવારે આત્મહત્યા કરી હોવાનું જાણવા મળ્યું છે. આ ઘટનામાં માતા નયનાબેન અને પુત્ર મિતુલનું મોત નિપજ્યું છે. જ્યારે મુકેશભાઈ પંચાલ સયાજી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.
મુકેશભાઈએ આર્થિકભીંસથી કંટાળી આવું પગલું ભર્યાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે.
સારવારમાં ખસેડતી સમયે ઈજાગ્રસ્ત મુકેશભાઈએ જણાવ્યું હતું કે, ખાવા-રહેવા માટે પૈસા તો જોઈને, મેં મારી જાતે બ્લેડના ઘા માર્યા છે.
પુત્ર ગળેફાંસો ખાધેલ હાલતમાં મળ્યો છે. તો તેની માતાને ઝેર આપ્યું હોવાનુ પ્રાથમિક તબક્કે સામે આવ્યું છે. પિતાએ બ્લેડથી ગળાના ભાગે મારી આત્મહત્યાનો પ્રયાસ કર્યો છે. ઘટનાની ગંભીરતાને જોતા, ઉચ્ચ પોલીસ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચ્યા છે અને આત્મહત્યાના કારણ સહીતના મુદ્દે તપાસ હાથ ધરી છે.
પોલીસને પંચાલ પરિવાર પાસેથી સુસાઈડ નોટ મળી આવી છે. જેમાં મકાનમાલિક મકાન ખાલી કરાવવાનું કહેતા પરિવાર ચિંતામાં હતો તેવું લખવામાં આવ્યું હોવાનું સુત્રો પાસેથી જાણવા મળ્યું છે. મકાન ખાલી કરવાની ચિંતામાં પરિવારે સામૂહિક આપઘાત કર્યાનો સ્ફોટક ખુલાસો થયો છે. આજે પંચાલ પરિવારને મકાન ખાલી કરવાનો હતો છેલ્લો દિવસ હતો