રાજ્યમાં હાલ ભારે વરસાદ પડી રહ્યો છે ત્યારે જુના જર્જરિત મકાનો ભયજનક બન્યા છે તેવે સમયે વડોદરાના રાવપુરામાં આવેલી દુલીરામ પેંડાવાળાની દુકાન જુનવાણી મકાનનો આગળનો હિસ્સો જર્જરિત થઈ ગયો હોવાનું અને તે જો ચોમાસા દરમ્યાન આ ભાગ તૂટી પડેતો મોટી સંખ્યામાં નીચે ગ્રાહકો અને લોકોની અવર જવર હોય દુર્ઘટના સર્જાવાની શકયતા અંગે સત્યડેમાં અહેવાલો આવતા આખરે આ જર્જરિત ઇમારતનું સમારકામ કરવાને બદલે રંગો રોગાન કરી જવાબદારી પુરી કરી દેવામાં આવી છે અને જાણે કે તંત્રએ પણ હાશકારો અનુભવ્યો હોય તેમ આંખો ઉપર પટ્ટી બાંધી લઈ કોઈ પગલાં ભર્યા નથી.
પણ આ તંત્ર વાહકો એ ભૂલી જાય છે કે માત્ર કલર કરવાથી મકાનની ગુલવત્તા સુધરી જતી નથી અને જો ભવિષ્યમાં કોઈ દુર્ઘટના બનશેતો તેની સીધી જવાબદારી તંત્રની રહેશે.
અત્રે ઉલ્લેખનીય છે કે વડોદરામાં રાવપુરા મેઇન રોડ ઉપર આવેલી જાણીતી દુલીરામ પેંડાવાળાની હયાત દુકાનની પાછળના ભાગે પણ લોખંડની પાઇપો વડે તંત્રની કોઈ પરમિશન વગર ગેરકાયદેસર રીતે સ્ટક્ચર ઉભું કરવામાં આવ્યું હોવા મામલે પણ વડોદરા મનપાનું ખાતું વિવાદમાં રહ્યું છે અને કુંડળીમાં ગોળ ભાંગ્યો હોવાનું જણાય છે.
હવે ઉપરથી જર્જરિત હિસ્સો પણ ચલાવી લઈ વધુ એક વિવાદ ઉભો કર્યો છે માત્ર કલર કરવાથી મજબૂતાઈ વધી જતી હોયતો લોકો કલર કરે.
આમ,તંત્ર વાહકોની ભૂમિકા સામે સવાલો ઉઠવા પામ્યા છે.