વડોદરાના દુમાડ ચોકડી પર બનેલા બ્રિજનું બાજુતો કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીના હસ્તે લોકાર્પણ થયાને માત્ર દોઢ મહિનાનો થયો છે અને બ્રિજની સેફ્ટી વોલમાં અનેક તિરાડો પડતા કોન્ટ્રાક્ટરની કામગીરી સામે સવાલો ઉભા થયા છે આ કામમાં ભ્રષ્ટાચારના આક્ષેપો લાગ્યા છે.
નેશનલ હાઇવે પર દુમાડ ચોકડી પાસે ટ્રાફિક સમસ્યા સર્જાતી હોઈ તેના નિરાકરણ માટે ફ્લાયઓવર બ્રિજ બનાવાયો હતો અને ગત તા.2 જૂન-2023ના રોજ કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીના હસ્તે દેણા અને દુમાડ ખાતે રૂપિયા 52 કરોડના ખર્ચે તૈયાર કરવામાં આવેલા ફ્લાયઓવર બ્રિજનું લોકાર્પણ કરવામાં આવ્યું હતુ.
લોકાર્પણ બાદ એક મહિના પણ ભારે પવન ફૂંકાતા દેણા ફ્લાય ઓવરબ્રિજ ઉપર લગાવવામાં આવેલી 59 સોલાર સ્ટ્રીટ લાઇટ પૈકી પાંચ સોલાર વીજ પોલ ધરાશાયી થઇ ગયા હતા અને સોલાર પ્લેટોને પણ ભારે નુકસાન થયું હતુ ત્યારબાદ હવે દુમાડ બ્રિજની સેફ્ટી વોલમાં તિરાડો પડતા બ્રિજની ગુલવત્તા સામે સવાલો ઉઠવા પામ્યા છે.